બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Congress delegation will meet the Governor today regarding the release of water from Narmada Dam
Malay
Last Updated: 10:11 AM, 28 September 2023
Gandhinagar News: તાજેતરમાં નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. કોંગ્રસ દ્વારા નર્મદામાં આવેલું પૂર માનવસર્જિત હોવાનો દાવો કરાયો છે. કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે અને પૂરની ન્યાયિક તપાસ માટે રજૂઆત કરશે. મહત્વનું છે કે, કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું છે કે ભરૂચ અને અંકલેશ્વરના વિસ્તારોમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યાં તે માત્ર અને માત્ર મિસમેનેજમેન્ટના કારણે થયેલી બેદરકારી છે.
કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સાથે કરશે મુલાકાત
નર્મદા નદીમાં આવેલા પૂર મામલે આજે ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સાથે કરશે. કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા પૂરની ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ પંચ રચવાની માંગ કરશે. આ સાથે જ કોંગ્રેસના પ્રતિનિધિમંડળ દ્વારા પૂરથી લોકો અને ખેડૂતોને થયેલા નુકસાનનું પૂરતું વળતર આપવાની માંગ કરવામાં આવશે.
અમિત ચાવડાએ મુખ્યમંત્રીને લખ્યો હતો પત્ર
આપને જણાવી દઈએ કે, નર્મદા ડેમમાંથી પાણી છોડવા મામલે તાજેતરમાં જ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ ન્યાયિક તપાસ પંચ નીમવા માંગ કરી હતી. તો કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ડેમમાં પાણી આવે તો અગાઉથી જ ખબર પડી જાય છે, નર્મદા ડેમ પહેલા કેટલાય ડેમ આવે છે. જે બાદ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો અગાઉથી જાણ કરવામાં આવે છે. ભરૂચ અને અંકલેશ્વરમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા હતા તે માત્ર મિસમેનેજમેન્ટના કારણે જ થયું છે.
વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે નર્મદાના નવા નીરના વધામણાના નામે ગુજરાતની ભાજપ સરકારે માનવસર્જિત આપદા નું નિર્માણ કર્યું જેમાં નર્મદા અને મહિ નદીના કાંઠા વિસ્તારોમાં પુરની પરિસ્થિતિ નું નિર્માણ થયું છે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. pic.twitter.com/oYW3TUrbKB
— Gujarat Congress (@INCGujarat) September 18, 2023
મિસમેનેજમેન્ટના કારણે થયેલી બેદરકારી છેઃ જયનારાયણ વ્યાસ
તેમણે કહ્યું હતું કે, ક્લાઉડ બર્સ્ટ એ નર્યું જુઠ્ઠાણું છે, અહીંયા એ શક્ય ન જ નથી. પૂર આવવા માટે વાદળ ફાટવાની ઘટના કહેવી એ રાજ્યના લોકોની મશ્કરી સમાન છે. આ ફક્ત મિસમેનેજમેન્ટના કારણે થયેલી બેદરકારી છે.
શું છે સમગ્ર મામલો?
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ છલોછલ ભરાતા ડેમમાંથી તબક્કાવાર 19 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા નર્મદા નદી ગાંડીતૂર બની હતી, જેના કારણે ચાણોદ, ભરૂચ અને અંકલેશ્વરમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી. અંકલેશ્વર શહેરમાં નર્મદાના ધસમસતા પાણીએ વિનાશ વેર્યો હતો. શહેરમાં 10 ફૂટ કરતાં વધારે પાણી ભરાતાં લોકો ઘરમાં કેદ થઇ ગયા હતાં. નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ભરૂચ અને અંકલેશ્વરમાં પૂરના પાણીથી જનજીવન પ્રભાવિત થયું હતું. લગભગ 6000 લોકો પૂરના પાણી પ્રભાવિત થયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. તો દુકાનોમાં પાણી ઘુસી જતાં માલ-સામાન પાણીમાં પલળી ગયો હતો. ખેડૂતોનો ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું.
50 હજારથી વધારે મુસાફરો પરેશાન થયા હતા
તો બીજી તરફ ભારે વરસાદના પગલે કેટલીક ટ્રેનોના પૈડા થંભી ગયા હતા. રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતા દિલ્હી-મુંબઈ-અમદાવાદ ટ્રેન રૂટને 12 કલાક માટે બંધ કરી દેવાયો હતો. વરસાદના કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવતા મુંબઇ-ભરૂચના મુસાફરો અટવાયા હતા. આમ, રેલવે વ્યવહાર ખોરવાતા 50 હજારથી વધારે મુસાફરો પરેશાન થયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army