કચ્છ: ભુજમાં આવેલી અદાણી સંચાલિત GK હોસ્પિટલમાં 26 જેટલા બાળકોના મોત મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો. બાળકોના મોતનો મામલો સામે આવ્યા બાદ અદાણી હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે તપાસ બાદ હોસ્પિટલે પોતાને ક્લીનચીટ મળી હોવાની જાહેરાત કરી દીધી છે.
તપાસ રિપોર્ટમાં હોસ્પિટલને ક્લીનચીટ મળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે શું અદાણી હોસ્પિટલમાં તમાસનું માત્ર નાટક રચવામાં આવ્યું હતું ? શું ખરેખર 26 બાળકોના મોતના કેસ રિપોર્ટ સમિતિએ તપાસ્યા કે કેમ ? શું તપાસકર્તાઓએ તેમની વ્યવસાયિક જવાબદારી નિભાવી છે કે કેમ ? તપાસકર્તાઓને શેની ઉતાવળ હતી કે હોસ્પિટલને ક્લીનચીટ આપી દેવાઈ ? ક્યાંક 26 બાળકોના મોત મામલે અધૂરી તપાસ તો નથી થઈને. તપાસ કેવી રીતે થઈ કે 2 દિવસમાં જ પૂર્ણ થઈ ગઈ. શા માટે બે દિવસમાં તપાસ પૂર્ણ કરીને હોસ્પિટલને ક્લીનચીટ આપી દેવામાં આવી.
માલેતૂજારોની હોસ્પિટલમાં ગરીબોને ન્યાય મળશે કે નહીં ? જો સરકારી હોસ્પિટલની આ સ્થિતિ છે તો ગરીબ પરિવાર ~યાં જશે ? શા માટે હોસ્પિટલ પર યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી શકે ?
ઉલ્લેખનીય છે કે ભુજમાં અદાણી સંચાલિત હોસ્પિટલમાં બાળકોના મોત મામલે રાજ્યની આરોગ્યની ટીમ તપાસ માટે હોસ્પિટલમાં પહોંચી છે. ત્રણ ડોકટરોની ટીમ જી.કે. જનરલ હોસ્પિટલમાં તપાસ કરશે. મહત્વનું છે કે જી.કે. જનરલ હોસ્પિટલમાં છેલ્લા 26 દિવસમાં કુલ 21 બાળકોના મોત થયા છે. અને આરોગ્યની ટીમ ક્યા કારણોસર બાળકોના મોત થઈ રહ્યા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરશે.