બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Dinesh
Last Updated: 12:09 AM, 1 April 2023
હવે નદીનાં વહેતાં નીરમાં હલેસાં મારીને બોટ હંકારવાનો રોમાંચ માણવા માટે શોખીન અમદાવાદીઓને છેક વડોદરા પાસેની મહીસાગર નદી સુધી લાંબા નહીં થવું પડે, કેમ કે મ્યુનિ. સત્તાધીશો ઘરઆંગણે જ ક્રીડાપ્રેમીઓને આવો આનંદ આપવા જઈ રહ્યા છે. રિવરફ્રન્ટમાં આવી બોટ હંકારવાનું ભાડું પણ નિશ્ચિત થઈ ગયું હોઈ તે સવારના 6.00થી 10.00 વાગ્યા સુધી અને સાંજના 4.00થી 7.00 વાગ્યાના પ્રાઇમ ટાઇમમાં વ્યક્તિદીઠ રૂ. 600 છે, જ્યારે બપોરના સમયગાળામાં એટલે કે બપોરના 3.00થી 4.00 વચ્ચે આ ભાડું અડધોઅડધ ઘટાડીને પ્રતિવ્યક્તિ રૂ.300 રખાયું છે, જોકે આનાથી સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણમાં ચોક્કસ વધારો થશે.
કાયાકિંગ બોટ શરૂ કરાશે
મ્યુનિસિપલ તંત્ર દ્વારા આવતી કાલથી શહેરીજનો માટે કાયાકિંગ બોટ શરૂ કરાશે. આ બોટમાં બેસીને લોકો હલેસાં મારીને નદીમાં મોજ માણી શકશે. કાયાકિંગ બોટ હોલો બોટ હોઈ તે પાણીમાં ડૂબતી નથી તેમજ વજનમાં સાવ હળવી હોઈ તેને હાથથી ઊંચકીને પણ ચાલી શકાય તેમ છે.
6.00 વાગ્યાથી નાગરિકો માટે પ્રારંભ કરશે.
કાયાકિંગ બોટનો કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સી આવતી કાલે સવારના 6.૦૦ વાગ્યાથી તેનો નાગરિકો માટે પ્રારંભ કરશે. શહેરીજનો સરદારબ્રિજ નીચેના ઘાટ નં.11થી આ બોટમાં બેસવાનો લહાવો લઈ શકશે. સરદારબ્રિજથી આંબેડકરબ્રિજ સુધીના રૂટ પર 45 મિનિટ સુધી બોટની સહેલગાહ માણી શકાશે. સાબરમતી રિવરફ્રન્ટમાં નવા પ્રકારની બોટ એક્ટિવિટી શરૂ કરનાર એજન્સી પાસેથી તંત્ર દર મહિને રૂ. એક લાખની આવક મેળવશે. એજન્સીને બે વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ તંત્ર દ્વારા અપાયો છે.
અમદાવાદીઓ માટે કુલ દસ બોટ
એજન્સી દ્વારા ત્રણ સિંગલ સીટર અને સાત ડબલ સીટર એમ કુલ દસ કાયાકિંગ બોટ આવતી કાલ સવારથી લોકો માટે રિવરફ્રન્ટમાં તરતી મુકાશે.
ઓનલાઇન બુકિંગ જ થશે
કાયાકિંગ બોટની મોજ માણવા માટે નાગરિકોએ ઓનલાઇન બુકિંગ કરાવવું પડશે, જે માટે Ahmedabad Kayaksની entartica.com પર બુકિંગ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army