દેશમાં કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ ખૂબ વણસી રહી છે. રોજ વાયરસના કારણે લોકો મરી રહ્યાં છે ત્યારે છીછોરે ફિલ્મની અભિનેત્રી અભિલાષા પાટીલનું પણ નિધન થયુ છે.
આ મહામારીની અસર મનોરંજન જગત પર પણ પડી છે. સ્વ. સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી ચૂકી એક્ટ્રેસ અભિલાષા પાટીલનું કોરોનાના કારણે જ અવસાન થયુ છે.
રિપોર્ટની માનીએ તો અભિલાષા વારાણસીમાં તેની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. જો કે જ્યારે તે ત્યાંથી પાછી આવી ત્યારે તેણે રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આવ્યો હતો. એક્ટ્રેસે પહેલા પોતાની જાતને સેલ્ફ ક્વોરંટાઇન કરી હતી બાદમાં શ્વાસ લેવાની તકલીફ પડતા આઇસીયુમાં એડમિટ થઇ હતી. મંગળવારે તેની તબિયત ખરાબ થઇ હતી અને નિધન થયુ હતુ.
અભિલાષાના નિધનથી એકવાર ફરી મરાઠી અને બોલીવૂડમાં શોકની લહેર પ્રસરી ગઇ છે. એક્ટ્રેસના ફેન્સ અને પરિવાર તેને યાદ કરીને સોશ્યલ મિડીયા પર શ્રદ્ધાંજલી આપી રહ્યાં છે.
અભિલાષા પાટીલે ફિલ્મ છીછોરે પહેલા વરુણ ધવનની ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયા, અક્ષય કુમારની ગુડન્યૂઝ અને ફિલ્મ મલાલમાં પણ કામ કર્યુ છે. બોલીવૂડ સિવાય તેમણે મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.
નામકરણના એક્ટર ઝૈનના કઝીનનું પણ મૃત્યુ
પોસ્ટમાં ઝૈને જણાવ્યું છે કે તેનો કઝીન તેના માટે કેટલો મહત્વનો હતો અને તેની કેટલીક તસવીરો પણ શૅર કરી છે. જીવનની આ મુશ્કેલીઓનો સામનો તે સ્મિત સાથે કરતો હતો.
ઝૈને લખી પોસ્ટ
ઝૈને ફોટો સાથે લખ્યું કે, અમને વિશ્વાસ નથી થઇ રહ્યો કે તુ આટલુ જલ્દી અમને છોડીને જતો રહીશ. અમે બધા પોઝીટીવ હતા કે તું જરૂર પાછો આવીશ પરંતુ અલ્લાહે કંઇક અલગ જ લખ્યુ હતુ. અમે બધા તને ખુબ યાદ કરીશુય આ પોસ્ટ હું એટલા માટે લખી રહ્યો છુ કે જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો સ્મિત સાથે કર્યો છે.
ઝૈન ઇમામે પોસ્ટમાં કહ્યું કે, કઝીન માટે 300 લોકો પ્રાર્થના કરી રહ્યા હતા. ઝૈને પરિવાર અને મિત્રો સાથે ઇન્ડસ્ટ્રીના લોકોનો આભાર માન્યો હતો. જેણે આ મુશ્કેલ ઘડીમાં તેનો સાથ આપ્યો અને પોતાની રાઇટીંગ ટીમનો પણ આભાર માન્યો હતો કે જેમણે સાથ આપ્યો હતો.