કોરોના વાયરસથી અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 17387 લોકો અસરગ્રસ્ત થઈ ચૂક્યા છે, જેમાંથી 17205 સંક્રમિત લોકો માત્ર ચીનમાં જ છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 362 લોકોના મોત થઈ ચૂક્યા છે. વિશ્વના સૌથી મોટા અને શક્તિશાળી દેશ કોરોના વાયરસની દવા શોધે તે પહેલાં જ થાઈલેન્ડના ડોકટરોએ કેટલીક દવાઓને મિક્સ કરીને નવી દવા બનાવી છે. થાઈલેન્ડની સરકાર દાવો કર્યો છે કે, આ દવા અસરકારક છે અને તે આપ્યા પછી, દર્દી 48 કલાકમાં સ્વસ્થ થઈ જાય છે.
કોરોના વાયરસની શોધાઈ દવા
સમગ્ર વિશ્વમાં વધી રહ્યાં છે કોરોના વાયરસના દર્દી
થાઈલેન્ડના ડોક્ટરોએ બનાવી અસરકારક દવા
થાઈલેન્ડના ડોક્ટર ક્રિએનસાક અતિપૉર્નવાનિચે કહ્યું કે, અમે 71 વર્ષની મહિલા દર્દીને નવી દવા આપી 48 કલાકમાં તેને ઠીક કરી દીધી. દવા આપ્યાના 12 કલાકમાં દર્દી બેડ પર જાતે બેઠી થઈ, જ્યારે દવા આપ્યા પહેલાં તે હલી પણ નહોતી શકતી. 48 કલાકમાં તે 90 ટકા સ્વસ્થ થઈ ગઈ હતી. થોડાં દિવસમાં અમે તેને સંપૂર્ણ રીતે સ્વસ્થ કરીને ઘરે મોકલી દઈશું.
દવાના મળ્યા પોઝિટિવ રિઝલ્ટ
ડોક્ટર ક્રિએનસાક અતિપૉર્નવાનિચે કહ્યું કે, અમે લેબમાં આ કર્યું તો અમને તેના પોઝિટિવ રિઝલ્ટ મળ્યા. આ દવાથી 12 કલાકમાં દર્દીને રાહત મળી ગઈ અને 48 કલાકમાં તો દર્દી સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયો. ડોક્ટર ક્રિએનસાક અતિપૉર્નવાનિચે જણાવ્યું કે, કોરોના વાયરસના ઈલાજ માટે અમે એન્ટી-ફ્લૂ ડ્રગ ઓસેલ્ટામિવિરને એચઆઈવીના ઈલાજ માટે ઉપયોગમાં લેવાતી દવા લોપિનાવિર અને રિટોનાવિર સાથે મિક્સ કરીને નવી દવા બનાવી. આ દવા બહુ જ અસરકારક સાબિત થઈ છે. હવે અમે આ દવાને કારગર બનાવવા માટે લેબમાં પરીક્ષણ કરી રહ્યાં છે.
થાઈલેન્ડમાં કોરોના વાયરસના 19 દર્દી ડિટેક્ટ થયા
થાઈલેન્ડમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 19 કન્ફર્મ્ડ કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 8 દર્દીઓને 14 દિવસમાં ઠીક કરી દેવામાં આવ્યા છે. 11 લોકોનો હજી ઈલાજ ચાલી રહ્યો છે. ડોક્ટર ક્રિએનસાક અતિપૉર્નવાનિચે કહ્યું કે, નવી દવાથી અમે આ દર્દીઓને પણ જલ્દી ઠીક કરી દઈશું.
કોરોના વાયરસની પહેલી સફળ દવા
થાઈલેન્ડની સરકારે આ દવાને વધુ અસરકારક અને સચોટ બનાવવા તેની કેન્દ્રિય પ્રયોગશાળામાં મોકલાવી છે. જો આ દવા પ્રયોગશાળાના પરીક્ષણોમાં સફળ થાય છે તો, તેને કોરોના વાયરસની પહેલી સફળ દવા માનવામાં આવશે.