ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. મોટાભાગના લોકો ગણેશજી લક્ષ્મીજી બાળ ગોપાલની મૂર્તિઓ ઘર અને દુકાનમાં રાખે છે. માન્યતા છે કે જે ઘરોમાં ભગવાનની મૂર્તિઓ હોય છે ત્યાં સકારાત્મક બનેલી રહે છે અને કાર્યમાં આવેલી અડચણો દૂર થઇ શકે છે. મંદિર બનાવતી વખતે નાસ્તુના કેટલાક નિયમોને ધ્યાનમાં રાખવા પણ ખૂબ જ જરૂરી હોય છે. નહીં તો મંદિરનું ફળ મળતું નથી. એક વાસ્તુશાસ્ત્રના જણાવ્યા અનુસાર કઇ દિશામાં કરવી જોઇએ મંદિરની સ્થાપના સાથે ક્યા પ્રકારની મંદિરમાં રાખવી જોઇએ દેવી દેવતાની મૂર્તિ કારણ કે ઘર દુકાનમાં પોઝિટીવિટી બનેલી રહે અને શુભ ફળ મળવાની સંભાવના રહે.
મંદિરને ઘર અથવા દુકાનને પૂર્વ ઉત્તર દિશામાં બનાવું જોઇએ.
મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ અને ફોટાની સ્થાપના ઉત્તર અને પૂર્વ દિશામાં કરવું શુભ હોય છે.
મંદિરમાં ભગવાન ગણેશ ભગવાન કુબેર અને દેવી લક્ષ્મી અને નવગ્રહની સ્થાપના એવી કરવી જોઇએ કે મોંઢું ઉત્તર દિશાની તરફ હોય.
મંદિરમાં ભગવાન વિષ્ણુ ભગવાન શિવ ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન સૂક્ય અને કાર્તિકેયની સ્થાપના એવી કરવી જોઇએ એમનું મોઢું પશ્વિમ દિશા તરફથી હોય.
ઘરના મંદિરમાં વધારે મોટી મૂર્તિઓ રાખવી જોઇએ નહીં. શાસ્ત્રો અનુસાર જાણવા મળ્યું છે કે જો આપણે મંદિરમાં શિવલિંગ રાખવા ઇચ્છીએ છીએ તો શિવલિંગ આપણાં અંગૂઠાના આકારથી મોટું હોવું જોઇએ નહીં. શિવલિંગ ખૂબ જ સંવદેનશીલ હોય છે એટલા માટે ઘરના મંદિરમાં નાનું શિવલિંગ રાખવું શુભ હોય છે. અન્ય દેવી દેવતાઓનો આકારની પ્રતિમા શ્રેષ્ઠ માનવામાં આવી છે.
ઘરમાં મંદિર એવા સ્થાને બનાવવું જોઇએ જ્યાં દિવસભરમાં ક્યારેય થોડાક સમય માટે સૂર્યની રોશની અવશ્ય પહોંચતી હોય. સૂર્યની રોશનીથી વાતાવરણની નકારાત્મક ઊર્જા ખતમ થાય છે અને સકારાત્મક ઊર્જામાં વધે છે.