સરકાર નવા નાણાકીય વર્ષથી ભવિષ્ય નિધિ ખાતા પર ટેક્સ વસુલશે. જાણો સરકારે શું કર્યા નિયમોમાં ફેરફાર
પ્રાઈવેટ અને સરકારી કર્મચારી માટે જરૂરી ખબર
1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમ
હવે PF રિટર્ન પર પણ ભરવો પડશે ટેક્સ
પ્રાઈવેટ અને સરકારી કર્મચારી બન્ને માટે આ ખબર સૌથી જરૂરી છે. 1 અપ્રિલ 2022થી PF ખાતાના રિટર્ન પર ઈનકમ ટેક્સ લાગશે. આવકવેરા વિભાગે આ નિયમ લાગુ કરી દીધો છે. CBDT આ તારીખ બાદ ઈનકમ ટેક્સ રૂલ 2021 પર અમલ કરશે. આ નિયમ હેઠળ Employee Provident Fund (EPF) અને General Provident Fund (GPF) બન્ને પ્રકારના ખાતા આવશે.
જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2021માં એક ખાસ જાહેરાત કરી હતી. તેમણે EPF ખાતામાં 2.5 લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રી યોગદાનની કેપ લગાવી હતી. એટલે કે તેના પર યોગદાનની વ્યાજ આવક પર ટેક્સ લાગશે. ત્યાં જ સરકારી કર્મચારીઓના મામલામાં GPFમાં ટેક્સ ફ્રી યોગદાનની સીમા 5 લાખ રૂપિયા વાર્ષિક છે.
CBDT અનુસાર EPFમાં અઢી લાખથી ઉપર અને GPFમાં 5 લાખ રૂપિયાથી ઉપરની કપાતમાં ટેક્સની લિમિટ લાવવામાં આવી છે. ટેક્સ વસુલી સેલેરીમાંથી કરવામાં આવશે. સરળ ભાષામાં સમજીએ તો જો પ્રાઈવેટ જોબ વાળા અથવા સરકારી કર્મચારીએ આ મર્યાદાથી ઉપર યોગદાન કર્યું છે તો પછી વ્યાજ ઈનકમને ઈનકમ માનવામાં આવશે અને વિભાગ તેના પર ટેક્સ વસુલશે. આ ટેક્સ કપાતનો ઉલ્લેખ ફોર્મ 16માં કરવામાં આવશે.
એવી પણ ખબર છે કે EPFO પીએફના નિયમોમાં અમુક નવા ફેરફાર કરવા જઈ રહ્યું છે. 1 એપ્રિલ 2022થી હાલના પીએફ ખાતાને બે ભાગોમાં વહેચી શકાય છે. મહત્વનું છે કે ગયા વર્ષે સરકારે આવકવેરાના નવા નિયમ જાહેર કર્યા હતા. હકીકતે નવા નિયમોનો હેતુ વધારે આવક વાળાને સરકારી કલ્યાણ યોજાનાનો લાભ લેવાથી રોકવાનો છે.