અંગ્રેજી ભાષાના પ્રસિદ્ધ લેખક ચેતન ભગતે તનિષ્કની વિવાદિત જાહેરાતનું સમર્થન કર્યું છે, એટલું જ નહીં તેણે કહ્યું હતું કે આમાંથી મોટાભાગના લોકોની તનિષ્કની જ્વેલરી ખરીદ કરવાની હેસિયત પણ નથી.
ચેતન ભગતે વિજ્ઞાપનનો કર્યો છે બચાવ
જો કે કંપની જાહેરાતને હટાવી લીધી છે
આ બાદ ચેતન ભગત ટ્વીટર પર ટ્રોલ થયા
પ્રસિદ્ધ જ્વેલરી બ્રાંડ તનિષ્ક એ પોતાના એક વિજ્ઞાપનને લઈને લવ જેહાદ ના વિચારને પ્રોત્સાહન મળી રહ્યું છે તેવા દાવાઓના લીધે એક જાહેરાતને પછી ખેંચી લીધી છે. જો કે આ મુદ્દે સોશિયલ મીડિયા યુઝર્સ બે ભાગમાં વહેંચાઇ ગયા છે, આ મુદ્દે જો કે ચેતન ભગતે એક ટ્વીટ કરતા તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા.
Dear #tanishq, most people attacking you can’t afford you anyway. And given where their thinking will take this economy, they soon won’t have jobs and hence definitely won’t able to buy anything from #tanishq in the future too. Don’t worry about them.
ચેતન ભગત એ તેના ટ્વીટમાં તનિષ્ક ની જાહેરાતનું સમર્થન કર્યું હતું અને લોકો પર કટાક્ષ કર્યો હતો કે જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે તેમાંથી ઘણાની તનિષ્ક ની જ્વેલરી ખરીદ કરવાની હેસિયત પણ નથી.
આ મુદ્દે તેણે વધુમાં લખ્યું હતું કે ડિયર તનિષ્ક તમારા પર હુમલો કરવાવાળા મોટા ભાગના લોકો તેને એફોર્ડ કરી શકતા નથી, અને તેમની આ વિચારધારા ઈકોનોમીને એવી જગ્યાએ પહોંચાડી દેશે કે જલ્દી તેમાંથી ઘણાંની પાસે નોકરીઓ જ નહિ હોય તેથી તેઓ ભવિષ્યમાં પણ તનિષ્કથી કંઈક ખરીદી શકવા માટે કાબેલ નહિ રહે માટે તેમની ચિંતા છોડી દો.
India is a country where even the poorest go to the best jewellery shop when there’s wedding in their family ! You don’t understand this business , Tanishq understood this , that’s why they took down the advertisement .
જો કે આ ટ્વીટ પછી તો લોકોએ ચેતન ભગતની બુદ્ધિક્ષમતા પર પણ સવાલો ઉભા કરી દીધા હતા. અહી એક યુઝરે લખ્યું હતું કે ભારત એક એવો દેશ છે જ્યાં ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ પરિવારમાં લગ્નના સમયે બેસ્ટમાં બેસ્ટ જ્વેલરી શોપ જાય છે, જો કે ચેતન ભગત આ બિઝનેસને સમજતા નથી પરંતુ તનિષ્ક સમજે છે જેના લીધે જાહેરાતએ પછી ખેંચી લીધી.
But I seriously don't understand, what the hell IS wrong with the advertisement! After I saw the ad, I didn't feel that there is any kind of offence being shown towards any religion, Hindu or Muslim!
અમુક લોકોએ જો કે ચેતન ભગત નું સમર્થન પણ કર્યું હતું. એક યુઝરે લખ્યું હતું કે પરંતુ મને આ હકીકતે સમજમાં નથી આવતું કે વિજ્ઞાપનમાં આખરે ખોટું શું છે? આ જાહેરાતને જોયા બાદ મને એવું નથી લાગતું કે તેમાં કોઈ પણ ધર્મ હિંદુ અથવા મુસલમાન ના વિરોધમાં કોઈ પ્રકારની વાત હોય"
શું હતી ઘટના?
તેમાં એક હિંદુ મહિલાના સીમંતનો પ્રસંગ દેખાડવામાં આવ્યો છે જેના લગ્ન એક મુસ્લિમ પરિવારમાં થયા હોય છે અને સાસ અને વહુ વચ્ચે આ પરમ્પરાને લઈને વાતચીત થાય છે જો કે આ જાહેરાત પર લવ જેહાદ ને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગતા કંપનીએ આ વિજ્ઞાપનને પાછુ ખેંચી લીધું હતું.