કેન્દ્ર સરકારે ફરી એક વાર પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડયૂટી ઘટાડી છે.કેન્દ્રના આ નિર્ણય બાદ બિન ભાજપ શાસિત રાજ્યોની નારાજગી પર પ્રતિક્રિયા સામે આવવા લાગી છે.
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી
પીએમ મોદીએ રાજ્યોને કરી અપીલ, તમે પણ ઘટાડો
અમુક રાજ્યોએ કેન્દ્રની અપીલ પર વાંધો ઉઠાવ્યો
કેન્દ્ર સરકારે ફરી એક વાર પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડયૂટી ઘટાડી છે. જેનાથી પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ થઈ ગયું છે. કેન્દ્રના આ નિર્ણય બાદ બિન ભાજપ શાસિત રાજ્યોની નારાજગી પર પ્રતિક્રિયા સામે આવવા લાગી છે. રવિવારે તમિલનાડૂના નાણામંત્રીએ કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યો છે તો વળી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પણ મોદી સરકાર પર પ્રહાર કર્યો છે અને આ રાહતથી જનતાને રાહત નહીં થવાનું જણાવ્યું હતું.
તમિલનાડૂના નાણામંત્રી ડો. પી થિયાગ રાજને શનિવારે રાતે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણના એ ટ્વિટને રિટ્વિટ કર્યું છે, જેમાં નિર્મલા સીતારમણે એ રાજ્યોને અપીલ કરી છે જેમણે અત્યાર સુધી વૈટ કાપ કર્યો નથી. પી થિયાગ રાજને લખ્યું છે કે, કેન્દ્ર સરકાર ત્યારે કોઈ રાજ્યને નથી પૂછતી, જ્યારે 2014થી પેટ્રોલ 23 રૂપિયા (+250 ટકા ) અને ડીઝલ 29 રૂપિયા (900 ટકા) પર કેન્દ્રીય ટેક્સ વધાર્યો હતો.
🤔The Union Government didn't INFORM, let alone ASK for ANY state's view when they INCREASED Union taxes on Petrol ~23 Rs/ltr (+250%) & Diesel ~29 Rs/ltr (+900%) from 2014
Now, after rolling back ~50% of their INCREASES, they're EXHORTING States to cut
— Dr P Thiaga Rajan (PTR) (@ptrmadurai) May 21, 2022
મંત્રી રાજને કહ્યું કે, હવે કેન્દ્ર પોતાનો વધારો 50 ટકા પાછો લઈ રહી છે, તો રાજ્યોને પણ કાપ મુકવા કહી રહી છે, શું આ સંઘવાદ છે ?
કેન્દ્ર સરકાર હજૂ પણ ઓછી કરે એક્સાઈઝ ડ્યૂટી
તો વળી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઉદ્ધવે કહ્યું કે, પહેલા ફ્યૂલના ભાવ વધારવા અને બાદમાં મામૂલી ઘટાડો કરવો યોગ્ય નથી. ઠાકરેએ કેન્દ્ર સરકારને એક્સાઈઝ ડ્યૂટીમાં હજૂ પણ વધારે કાપ કરવાની માગ કરી છે.
ઉદ્ધવ ઠાકરેએ સામે રાખ્યા આ આંકડા
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કેન્દ્ર સરાકરે બે મહિના પહેલા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં 18.42 રૂપિયા પ્રતિ લિટરે વધારો કર્યો હતો અને આજે 8 રૂપિયા ઘટાડ્યા છે. ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં પણ 18.24 રૂપિયાનો વધારો કર્યો હતો અને હવે 6 રૂપિયા ઘટાડ્યા છે.
ઉદ્ધવ ઠાકરે બોલ્યા
ઠાકરેએ કહ્યું કે, પહેલા સતત ભાવ વધારો કર્યો અને હવે મામૂલી રાહત આપવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે, દેશના નાગરિકોને હકીકતમાં રાહત ત્યારે મળશે, જ્યારે કોઈ પણ પ્રકારના આંકડાની માયાજાળમાં ફસાયા વગર એક્સાઈઝ ડ્યૂટીને ઘટાડીને છ-સાત વર્ષ પહેલા જેટલી હતી તેટલી કરવામા આવે.