નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ગુરૂવારે CM રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. સવારે 10 વાગ્યે કેવડિયા હેલિપેડ પર ઉતરાણ કરશે. પ્રેઝન્ટેશન સ્ટેચ્યુ વિઝીટ અને ટેન્ટ સીટીની વિઝીટ કરશે. ગુરૂવારે CMની મુલાકાત બાદ PMના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. 31 ઓકટોબરના PM મોદી સ્ટેચ્યુનું લોકાર્પણ કરશે.
તમને જણાવી દઇએ કે આગામી 31 ઓક્ટોમ્બરનાં રોજ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ થનાર છે. જે બાદ પ્રતિદિન 15000 પ્રવાસી સ્ટેચ્યુની મુલાકાત લેવાના છે જે માટે દિલ્હીની પ્રતિષ્ઠિત ટુર કંપનીઓને કેવડિયા બોલાવાઈ. વિશ્વભરમાંથી પ્રવાસીઓ ખેંચી લેવા માટે કવાયત.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ દેશ વિદેશમાંથી પ્રવાસીઓને આવકારવા માટે રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ અને સરકાર અતિ ગંભીર છે. તેના માટે થઈને દિલ્હી સ્થિત પ્રતિષ્ઠિત ટુર્સ ઓપરેટર કંપનીઓને આજે કેવડિયા તેડાઈ હતી.
સ્ટેચ્યુ સુધી પ્રવાસીઓને આકર્ષવા માટેની નોડલ એજન્સી પ્રવાસનવિભાગ દ્રારા અમદાવાદની એક ખાનગી ટુર ઓપરેટર કંપનીને દેશભરના ટુર ઓપરેટરો સાથે સંકલન સાધવા કામ સોંપાયું છે. જે બાદ દરરોજ દેશના 10 પ્રતિષ્ઠિત ટુર ઓપરેટરને કેવડિયા લાવી સમગ્ર સ્થળની મુલાકાત કરાવાય છે. જેમાં મુલાકાતે આવેલ ટુર ઓપરેટરોએ પ્રોજેકટ અને આજુબાજુના નૈસર્ગીક વાતાવરણ જોઈને ખુશ થયા હતા.
તો ટુર ઓપરેટર નિર્વિવાદ પણે સ્ટેચ્યુને અદભુત ગણાવી જણાવ્યું હતું કે અત્યારસુધી વિદેશી પ્રવાસીઓ સૌથી વધુ આગ્રા તાજમહેલઓ આગ્રહ રાખતા હતા પણ આજે મુલાકાત બાદ લાગી રહ્યું છે કે હવે 31 ઓક્ટોમ્બર બાદ એ વાત ચોક્કસ છે કે હવે પ્રવાસીઓ આગ્રા ભૂલી કેવડિયા પધારશે. અને પ્રતિમાને અદભુત અને તેના આનુષંગિક પ્રોજેક્ટો નિહાળી ગદગદિત થયા હતા અને ખાસ રાજ્યનું પ્રવાસન વિભાગ અતિગંભીર હોવાની નોંધ પણ લીધી હતી.