હાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રશંસકો ખૂબ ઉત્સાહિત હતા. કારણકે તેઓને એ ખુશખબરી મળી હતી કે જેની તેઓ છેલ્લાં ઘણા વર્ષોથી રાહ જોઇ રહ્યાં હતા. દયાબેનનુ પાત્ર ઘણા વર્ષથી શોમાં કોઈ ભજવતુ નથી. પરંતુ હવે શોના નવા પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે દયાબેનની વાપસી થઇ રહી છે.
તારક મહેતાની ટીમે એક પ્રોમો કર્યો શેર
એપિસોડ જોતા પ્રશંસકોને લાગ્યો ઝટકો
દયાબેન આવી રહી નથી, દર્શકો થયા નિરાશ
તો શું દયાબેનની વાપસી નહીં થાય !
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના હાલના એપિસોડને જોઇને સ્પષ્ટ થાય છે કે દયાબેનની વાપસી શોમાં થઇ રહી નથી. આની પહેલાના એપિસોડમાં બતાવવામાં આવ્યું હતુ કે સુંદરલાલ જેઠાલાલને વચન આપે છે કે તેઓ કોઈ પણ સ્થિતિમાં દયાબેનને મુંબઈ લઇને આવશે. પરંતુ બાદમાં બતાવવામાં આવ્યું છે કે તે વચન તેમણે જોશમાં આપ્યું હતું. પરંતુ આવુ કશુ થવાનુ નથી. આ એપિસોડ જોતા જ સ્પષ્ટ થાય છે કે દયાબેન આવી રહી નથી. જેને કારણે દર્શકો ફરી એક વખત નિરાશ થયા છે.
શોના દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે કે દયાબેનની વાપસી થાય અને પોપટલાલના લગ્ન થાય. પરંતુ બંને મામલે દર્શકોની આતુરતા વધી રહી છે. પોપટલાલના લગ્ન પણ થતા નથી કે નથી દયાબેનની વાપસી થઇ રહી હોય. એવામાં જ્યારે શોને ટીકાનો સામનો કરવો પડ્યો છે. લોકો દર્શકોની ભાવના સાથે છેડછાડ કરવાનો આરોપ નિર્માતા પર લગાવી રહ્યાં છે.