ટીવીનો સૌથી પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજકાલ ચર્ચામાં છે. દર્શકો શોથી નારાજ છે. જાણો કેમ.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજકાલ ચર્ચામાં છે
છેલ્લા કેટલાય વર્ષોથી લોકોનો ફેવરિટ રહ્યો છે
દર્શકોએ સોશિયલ મીડિયા પર ફરિયાદો કરી રહ્યાં છે
દર્શકોના દિલ પર રાજ કરનાર શો તારક મહેતા કોઈને કોઈ કારણથી હમેશાં ચર્ચાામાં રહે છે. શોએટીઆરપી લિસ્ટમાં પણ અનેકવાર ટોપ 5માં જગ્યા બનાવી છે. પરંતુ હવે આ શોનો જાદુ ઓછો થઈ રહ્યો હોય એવું લાગે છે. શોના દર્શકોએ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યાં છે.
આ છે લોકોની ફરિયાદો
શોમાં હાલમાં જ ઘણાં બદલાવ થયા છે જેના કારણે સોશિયલ મીડિયા પર દર્શકો શોને લઈને ફરિયાદ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ક્વોલિટી પહેલાં જેવી નથી રહી. લોકોએ સીરિયલના ડાઈરેક્ટરને ટેગ કરીને પોતાની ફરિયાદો પોસ્ટ કરી છે.
@malavrajda Sir,U r a good director but tell me honestly do u really find the new episodes of TMKOC to be funny? Where is our old funny Bapuji who made us go Rofl instead now he provides us with gyaan..Please I request u to remind the script writers that TMKOC is a comedy sitcom.
અહીં એક યુઝરે લખ્યું કે શો કોમેડીના મામલે હવે પોતાના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. કોઈ સ્ટેટમેન્ટ અને સીન વારંવાર રિપીટ કરવાની આદત જ્યારે કોઈ નવું ગ્રુપ જોઈન કરે છે, બહુ જ ખરાબ રીત છે chewing gum બનાવવાની... quit?'...
@malavrajda read the article on TMKOC about losing viewcership even i m also now regular watching the show even of Jethalal recovery of dues from Bhogilal was almost stretched for 2 months it's two
@TMKOC_NTF Please change the show name team because there is no "Hasya" anymore in your show which original Late Shri Tarak Mehta use to convey through his stories. In the name of social awareness you are missing on comedy @malavrajda Pls note this as well.
આ ઉપરાંત એક યુઝરે લખ્યું છે કે આ શોના પાત્રોની જિંદગી સેમ ટુ સેમ જોઈને બોર થઈ ગયા છીએ. હવે તેમાં કેટલાક ફેરફાર જોવા માંગીએ છીએ. જેમ કે પોપટલાલના લગ્ન કે પછી તારક કે ઐય્યરના બાળકો.
@malavrajda show is at its lowest level of comedy..ur habit..of repeating one statement/scenario 10 tym when sum1 new joins group..is terrible way to being chewing gum..quit ?
એક ફેને તો એટલે સુધી લખી નાખ્યું કે આ શોનું નામ બદલી નાખવું જોઈએ. કારણ કે હવે તેમાં હાસ્ય નથી. જે દિવગંત શ્રી તારક મહેતાજી પોતાની વાર્તાઓમાં વર્ણવતા હતા. સામાજિક જાગૃતતાના નામ પર અમે કોમેડી મિસ કરી રહ્યાં છીએ.
શું શોમાં થશે ફેરફાર?
હવે જોવાનું રહેશે કે દર્શકોની આ ફરિયાદોની મેકર્સ પર કેટલી અસર થશે. શોમાં કેટલાક ફેરફાર થશે કે નહીં. એ તો સમય જ જણાવશે. પરંતુ એ નક્કી છે કે આ સોને લોકો એટલી હદે પોતાનો માને છે કે તેનાથી બોર ફીલ થવા પર તેઓ પરેશાન થઈ જાય છે.