બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Malay
Last Updated: 11:39 AM, 16 September 2023
રાજકોટના ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે શંકાસ્પદ રીતે બે બાળકોના મોત થતાં પોલીસ પણ ચોંકી ગઇ છે. વોરાકોટડા ગામે 2 બાળકોને ઉલટી થયા બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં બંન્ને બાળકોના મોત થતાં પોલીસે બાળકોના શંકાસ્પદ મોતને લઇને તપાસ હાથ ધરી છે.
બાળકોને ખસેડાયા હતા રાજકોટ સિવિલમાં
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલા સરકારી આવસમાં રહેતા રાજેશભાઈ મકવાણાના બે દિકરા રોહિત મકવાણા (ઉં.વ 3) અને હરેશ મકવાણા (ઉં.વ 13)ને ઉલટી થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નિપજ્યું હતું. હોસ્પિટલ તંત્ર દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેના મોત
બંને બાળકોના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ હાથ ધરાશે. સમગ્ર ઘટનામાં બાળકોના પિતા શંકાના ઘેરામાં છે. કારણ કે પોલીસની પ્રાથમિક તપાસમાં સૌથી ચોંકાવનારી વાત તો એ સામે આવી કે બંન્ને બાળકોના માતા-પિતાના ફક્ત 15 દિવસ પહેલા છુટાછેડા થયેલા છે. બીજી બાજુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પિતા બંને બાળકોને દરરોજ દરગાહના ન્યાજમાં જમાડવા લઈ જતો હતો. ગતરોજ દરગાહમાં જમ્યા બાદ બાળકોની તબિયત લથડી હતી.
15 દિવસ અગાઉ જ માતા-પિતાના થયા હતા છૂટાછેડા
ત્યારે માતા-પિતાના છુટાછેડાના 15 દિવસમાં બંન્ને બાળકોના મોત પોલીસ માટે ખૂબ જ શંકાસ્પદ મામલો લાગી રહ્યો છે. જેને લઇને પોલીસે બંન્ને બાળકોના મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. બાળકોને કોઇ ઝેર આપવામાં આવ્યું છે કે કેમ તેને લઇને વિશેષ રિપોર્ટ માટે પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તેવામાં 2 બાળકોના શંકાસ્પદ મોતને લઇને સમગ્ર વોરાકોટડા ગામમાં ચકચાક મચી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army