IPL2020ને લઇને સમગ્ર ભારતમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. કોરોનાકાળમાં પણ જ્યારે IPL2020નું આયોજન થયુ ત્યારે ક્રિકેટ રસિયાઓ ખુશ થઇ ગયા હતા
વ્યક્તિગત કારણોસર રેના નહી રમે IPL
દુબઇથી તાત્કાલિક ભારત પરત ફર્યો
ચેન્નઇ સુપર કિંગ્ઝને મોટો ફટકો
Suresh Raina returns to India from UAE 'for personal reasons' and will be unavailable for the remainder of the IPL season, says his team Chennai Super Kings
Players of the team had left for UAE earlier this month for the tournament to be held from September 19 to November 10. pic.twitter.com/AVNQfKzANn
28 ઓગસ્ટના રોજ સમાચાર આવ્યા હતા કે ચેન્નઇ સુપરકિંગ્ઝના 11 લોકોને કોરોના પોઝીટીવ છે. હજૂ તો તે સમાચાર પચાવી નથી શક્યા ત્યાં બીજા માઠા સમાચાર આવ્યા છે કે સુરેશ રૈના વ્યક્તિગત કારણોસર IPL2020 છોડીને ભારત પરત ફર્યા છે.
ચેન્નઇ સુપર કિંગ્ઝના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવી હતી કે સુરેશ રૈના વ્યક્તિગત કારણોથી ભારત પરત ફર્યા છે અને હવે તે IPL2020માં પરત નહી ફરે. ચેન્નઇ સુપર કિંગ્ઝનો સંપૂર્ણ સપોર્ટ સુરેશ રૈના અને તેમના પરિવાર સાથે છે.
સુરેશ રૈના એક દમદાર ખેલાડી છે અને આ ચેન્નઇ સુપર કિંગ્ઝને મોટો ફટકો છે. સુરેશ ક્યા કારણથી ભારત પરત ફર્યા છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી પરંતુ તે હવે IPL2020 સંપૂર્ણ સિઝનમાં નહી રમે.
ભારતમાં IPLનો ક્રેઝ વિશ્વમાં બીજા કોઇ પણ દેશ કરતા વધારે છે. સુરેશ રૈના એક મહત્વનો ખેલાડી છે ત્યારે હવે તે ક્યા કારણસર પરત ફર્યા છે તે કહેવુ થોડુ મુશ્કેલ બન્યું છે.