અનુભવી બેટ્સમેન સુરેશ રૈનાએ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ને ભારતના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ કેપ્ટન બતાવ્યા છે. ભારતીય બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina) એ ભારત માટે 18 ટેસ્ટ, 226 વનડે અને 78 ટી20 મેચ રમ્યા છે. જોકે હાલ તેઓ ભારતીય ટીમથી બહાર છે. રૈનાની ગણતરી શોર્ટર ફોર્મેટના સારા પ્લેયર્સમાં કરવામાં આવે છે.
બેટ્સમેન સુરેશ રૈના પોતાની સ્પિન બોલિંગ અને ફિલ્ડિંગ માટે પણ જાણીતા છે
ધોની 23 માર્ચથી શરૂ થઇ રહેલી આઇપીએલ (IPL) માં કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે
બેટ્સમેન ઉપરાંત પોતાની સ્પિન બોલિંગ અને ફિલ્ડિંગથી પણ રૈના ટીમ માટે ઉપયોગી સાબિત થયા છે. સુરેશ રૈના અને ધોની, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં એક જ ફ્રેન્ચાઇઝી ચેન્નઇ સુપરકિંગ્સ (Chennai Super Kings) ના માટે રમે છે.
સ્ટાર સ્પોર્ટ્સ તમિલ પર 'ધ સુપર કિંગ્સ શો' દરમિયાન સુરેશ રૈના (Suresh Raina)એ કહ્યું, મને લાગે છે કે અમારી પાસે સર્વશ્રેષ્ઠ કેપ્ટન હતા જેણે ભારતીય ટીમને બદલીને રાખી દીધા. મહેન્દ્રસિંહ ધોની ટેસ્ટ ક્રિકેટથી સન્યાસ લઇ ચુક્યા છે પરંતુ આ 38 વર્ષના વિકેટકીપર બેટ્સમેનના ટી20 ફોર્મેટના ભવિષ્યને લઇને અટકળો જોવા મળી રહી છે.
બે વાર વર્લ્ડ કપ જીતનારી ટીમ ઇન્ડિયાના કેપ્ટન રહેલા ધોની ઇંગ્લેન્ડમાં 2019 વર્લ્ડકપથી ભારતીય ટીમમાંથી બહાર થયા બાદથી ક્રિકેટથી 'બ્રેક' પર છે. તેઓની 23 માર્ચથી શરૂ થઇ રહેલી આઇપીએલ (IPL) માં વાપસી કરવાની આશા છે જ્યાં તેઓ સીએસકેની કેપ્ટનશીપની જવાબદારી સંભાળશે.
ચેન્નઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં થ્રી સ્ટેન્ટને ખોલવાની સ્વીકૃતિ મળ્યા બાદ સુરેશ રૈનાએ પ્રશંસકોને અપીલ કરી કે તે સીએસકેની તમામ મેચ માટે મોટી સંખ્યામાં પહોંચે. ભારત માટે ગત વખતે 2018માં રમનારા રૈના સીએસકેની સાથે જોડાયેલા નવા ખેલાડીઓની સાથે રમવાને લઇને રોમાંચિત છે. તેઓએ કહ્યું કે આ વર્ષે અમારી ટીમમાં ઘણી નવી પ્રતિભાઓ છે. પીયૂષ (ચાવલા) છે, અમારી પાસે (જોશ) હેજલવુડ, સેમ કુરેન, તમિલનાડુના સાઇ કિશોર છે. તેથી મને લાગે છે કે અમારી પાસે યુવાઓ અને અનુભવી ખેલાડીઓનું સારું મિશ્રણ છે.