સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આગ લાગ્યાના સમાચાર મળી રહ્યા છે. વઢવાણના શિયાણીની પોળ વિસ્તારમાં આવેલા શાકમાર્કેટમાં આગ લાગી છે. શાકમાર્કેટ પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કીટથી આગ લાગી છે. આગને કારણે શાકમાર્કેટમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે કોઈ જાનહાની થઈ નથી.
આ ઘટનાની જાણ વઢવાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર વિભાગના અધિકારીઓ તથા ફાયર ફાયટર ઘટના સ્થળે તાત્કાલિક અસરથી પહોંચ્યા હતા અને પરિસ્થિતીનો તાગ મેળવીને પાણીનો મારો ચાલુ કરી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે આ ઘટનાને પગલે શાકમાર્કેટમાં પડેલ કચરો અને અન્ય કેટલીક વસ્તુઓ બળીને ખાખ થઇ જવા પામી હતી.જો કે આગના બનાવના પગલે સ્થાનિકોમાં ફફડાડ જોવા મળ્યો હતો પરંતુ કોઇપણ પ્રકારની જાનહાની થયાનાં સમાચાર જાણવા મળ્યા નથી.