સુપ્રીમ કોર્ટે બુધવારે મહત્વનો નિર્ણય આપતા કહ્યુ કે જો ST/SC સરાકરી કર્મચારીઓને પ્રમોશનમાં આરક્ષણની જરૂર નથી. જોકે સુપ્રીમ કોર્ટે આ અધિકાર રાજ્ય સરકારને આપ્યો છે જો રાજ્ય સરકાર ઇચ્છે તો કર્મચારીઓને પ્રમોશનમાં આરક્ષણ આપી શકે છે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2006માં તેમણે આપેલા નિર્ણય વિશે પુન:વિચાર કરવાની ના પાડી દીધી છે.
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વખતે સ્પષ્ટ કર્યુ કર્યુ કે સરકારી નોકરીઓમાં ST/SC સમાજના લોકોને પ્રમોશનમાં આરક્ષણ આપવું ફરજિયાત નથી. જસ્ટિસ નરીમને કહ્યું છે કે નાગરાજ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય સાચો હતો. તેથી તે વિશે ફરી વિચારણાં કરવાની જરૂર નથી. એટલે કે આ કેસને ફરી 7 જજની બેન્ચ પાસે મોકલવો જરૂરી નથી.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ કે નાગરાજ નિર્ણય અનુસાર ડેટા જરૂરી છે. પરંતુ રાહતની દ્રષ્ટીએ રાજ્યા SC/ST વર્ગને પ્રમોશન આપવા માટે ડેટા એકત્ર કરવો જરૂરી નથી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોની દલીલ સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આકંડા જાહેર કર્યા પછી રાજ્ય સરકાર આરક્ષણ વિશે વિચાર કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આકંડા જારી કર્યા પછી રાજ્ય સરકાર આરક્ષણ પર વિચાર કરી શકે છે. સર્વોચ્ચ ન્યાયલયે પોતાના નિર્ણયમાં કહ્યુ કે રાજ્ય સરકાર આરક્ષણ આપવા માટે નિમ્મલિખિત કારકોને ધ્યાનમાં રાખીને નીતિ બનાવી શકે છે.
- વર્ગોનું પછાતપણું
- સરકારી સેવામાં અપર્યાપ્ત પ્રતિનિધિત્વ અને સંપૂર્ણ વહીવટી કાર્યક્ષમતા સાથે સંકળાયેલા કારણો
- બંધારણની કલમ 335નું પાલન
શું હતો 2006નો નિર્ણય?
હકીકતમાં 2006માં સુપ્રીમ કોર્ટની 5 જજની બંધારણીય બેન્ચે નોકરીમાં પ્રમોશનમાં આરક્ષણ વિશે ચુકાદો આપ્યો હતો. તે સમયે કોર્ટે અમુક શરતો સાથે આ વ્યવસ્થાને યોગ્ય ગણાવી હતી. જોકે 12 વર્ષ પછી પણ ન તો કેન્દ્ર અને રાજ્ય સરકારે આ આંકડા આપ્યા છે. તેની જગ્યાએ ઘણી રાજ્ય સરકારે પ્રમોશનમાં આરક્ષણ કાયદો પાસ કરી દીધો પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશના કારણે આ કાયદો રદ કરવામાં આવતો હતો. નોંધનીય છે કે ST/SC સંગઠનોએ પ્રમોશનમાં આરક્ષણની માગ વિશે 28 સપ્ટેમ્બરે એક મોટા આંદોલનની જાહેરાત કરી છે
- 2006માં નાગરાજના ચુકાદામાં જણાવવામાં આવ્યુ હતુ કે ST/SCને પ્રમોશનમાં અનામત આપી શકાય છે.
- સુપ્રીમે કહ્યું કે આંકડા જાહેર થયા બાદ રાજ્ય સરકારો આરક્ષણ પર વિચાર કરી શકે છે.
- કેન્દ્રની નોકરીમાં અનામત પર લાગશે બ્રેક
- સરકારી નોકરીના પ્રમોશનમાં અનામતની જરૂરી નથી.
- જસ્ટિસ નાગરાજના ચૂકાદા અંગે ફરીવાર વિચાર કરવાની જરૂર નથી.