કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અભિષેક સિંઘવીએ ટ્વિટ કર્યું અને લખ્યું કે જો કાંવડ યાત્રા ના થઈ શકે તો પછી બકરીઈદની ઉજવણી કરવી એ પણ ખોટું છે.
કેરળ સરકારે આપી ત્રણ દિવસની છૂટછાટ
IMAએ કાયદાકીય આહવાન કરવાની ચેતવણી આપી
કેરળમાં કોરોનાની સાથે જીકા વાયરસનું સંકટ
કેરળ સરકારે આપી ત્રણ દિવસની છૂટછાટ
સુપ્રીમ કોર્ટે કેરળ સરકારન પાસે બકરીઈદ તહેવારને ધ્યાનમાં રાખી કોરોનાના કારણે લાગુ પાડેલ પ્રતિબંધો ત્રણ દિવસ માટે હટાવી લેવાની અરજી માટે જવાબ માંગ્યો છે. બકરી ઈદ પર કેરળમાં પ્રતિબંધમાં છૂટછાટ આપવાના સરકારના નિયમ વિરુદ્ધ એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ છૂટછાટ ત્યારે આપવામાં આવી જ્યારે કેરળમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે જ રાજ્યમાં પોઝિટીવીટી રેટ પણ વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે એટલે કે મંગળવારે આ વિશે સુનાવણી થવાની છે.
IMAએ કાયદાકીય આહવાન કરવાની ચેતવણી આપી
તમને જણાવી દઈએ કે 21 જુલાઇના રોજ બકરી ઈદનો તહેવાર છે. સાથે જ સરકાર દ્વારા છૂટછાટ આપવાના આ નિર્ણયને વિપક્ષ અને ઇંડિયન મેડિકલ એસોસિએશન(IMA)એ પણ વિરોધ કર્યો હતો. IMAએ સરકારના આ નિર્ણય વિરુદ્ધ કાયદાકીય આહવાન કરવાની ચેતવણી આપી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અભિષેક સિંઘવીએ ટ્વિટ કર્યું અને લખ્યું કે જો કાંવડ યાત્રા ના થઈ શકે તો પછી બકરીઈદની ઉજવણી કરવી એ પણ ખોટું છે. એ પણ એવા રાજ્યમાં જ્યાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયું હોય.
કેરળમાં કોરોનાની સાથે જીકા વાયરસનું સંકટ
દેશમાં કોરોના સંક્રમણની સ્પીડ ભલે નબળી પડતી દેખાઈ રહી હોય પરંતુ દક્ષિણ ભારતમાં કોરોનાની સાથે જીકા વાયરસનું સંકટ વધી રહ્યુ છે. કેરળમાં કોરોના અને જીકા વાયરસના વધતા ખતરાને જોતા 17થી 18 જુલાઈએ સંપૂર્ણ લોકડાઉનનું એલાન કર્યુ છે. રાજ્યમાં જે રીતે વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તેને જોતા રાજ્ય સરકાર બહું જલ્દી નવી ગાઈડલાઈન જારી કરી શકે છે.