ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશે એક પોસ્ટ કરવા અને મુખ્યમંત્રીની છબીને નુકશાન પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરાયેલા પત્રકાર પ્રશાંત કનોજિયાને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે પ્રશાંત કનોજિયાની પત્નીની તરફથી દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરતા પત્રકારને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, 'ટ્વિટ માટે ધરપકડ કરવાની ક્યાં જરૂર હતી'. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'નાગરિક અધિકારનું હનન ન કરી શકાય. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે લોકોના વિચાર અલગ-અલગ હોઇ શકે છે. એમણે (પ્રશાંત કનોજિયા) એ પણ ટ્વિટ ન કરવા જોઇતા હતા. પરંતુ તેના આધારે ધરપકડ ન કરી શકાય'.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે 'લોકોની આઝાદી સાથે કોઇ સમજૂતી ન કરી શકાય. આ દેશ સંવિધાન અનુરુપ છે અને તેની સાથે કોઇ સમજુતી ન કરી શકાય.' આપને જણાવી કે, પ્રશાંત કનોજિયાએ વીડિયો શેર કરતા એક વિવાદીત કેપ્શન લખ્યું હતું.
પોલીસ અનુસાર, આ પોસ્ટ દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની છબીને નુકશાન પહોંચાડવાની કોશિશ કરવામાં આવી હતી. જે આધાર પર પોલીસે પ્રશાંત કનોજિયાની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પત્રકાર પ્રશાંત કનોજિયાની ધરપકડ પર એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ ટીકા કરી હતી.