સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા એક મહત્વનાં ચુકાદામાં એક પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટરને MD Psychiatry માં એડમિશન લેવા માટે કાઉન્સેલિંગમાં બેસવાની પરવાનગી આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે એક લેન્ડમાર્ક ચુકાદામાં પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટરને MD Psychiatry નાં કાઉન્સેલિંગમાં ભાગ લેવાની મંજૂરી આપી દીધી છે.
જસ્ટિસ ચંદ્રચૂડ અને સુર્ય કાન્તની બેન્ચે લીધેલ નિર્ણય અનુસાર ચુકાદો આપવામાં આવ્યો હતો કે મુંબઈ ખાતે ટોપીવાલા નેશનલ મેડિકલ કોલેજમાં એમડી સાયકેટ્રીના કોર્સ માટે તેને હાજર થવાની મંજૂરી મળવી જોઈએ.
આ સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા મુંબઈ ખાતે ટોપીવાલા નેશનલ મેડિકલ કોલેજમાં એમડી સાયકેટ્રીના કોર્સ માટે પ્રોવિઝનલ એલોટમેન્ટ માટે કાઉન્સેલિંગ પ્રોસેસ માટે ઉમેદવારને પરવાનગી આપવામાં આવી હતી.
ઐયર સીથારામન વેણુગોપાલન કે જે યુવા એમબીબીએસ ડૉક્ટર છે તે બંને આંખોમાં 100% નેત્રીનતા ધરાવે છે. તેણે NEET PG પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી.
બોમ્બે હાઇકોર્ટના અગાઉના ચુકાદા અનુસાર પરીક્ષાર્થીને અગાઉ કાઉન્સેલિંગ માટે મનાઈ ફર્મવવામાં આવી હતી.
પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ માટે ઓર્ડર ડેટ 2 ફેબ્રુઆરી રખાઇ હતી. તેને આ ઓર્ડરને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. બીજી ફેબ્રુઆરી 2022 ના રોજ કાઉન્સેલિંગ અગાઉ તેનો ઓર્ડર આવવાનો હતો. સિનિયર એડવોકેટ સો એસ વૈદ્યનાથનના હાથ હેઠળ અપીલ કરવામાં આવી હતી.