બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / ગુજરાત / અમદાવાદ / Statement of Jagdish Thakor after Hardik Patel statement on Gujarat Congress
Vishnu
Last Updated: 12:53 PM, 19 May 2022
હાર્દિક પટેલના કોંગ્રેસ પર આક્ષેપ કરવા મુદ્દે જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હાર્દિકના તમામ આક્ષેપો પાયાવિહોણા છે. હાર્દિકના જવાથી સૌરાષ્ટ્રના કોઈ ધારાસભ્ય પાર્ટી છોડશે નહીં. વધુમાં તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, હાર્દિકના રાજીનામાનો પત્ર કમલમમાંથી લખાયો હતો. જેથી પાટીદાર નેતા હાર્દિક પટેલને જવાબ આપશે.
કાર્યકર યુવાનો પાસેથી કોંગ્રેસે 5 કરોડ પડાવ્યા: હાર્દિક પટેલ
યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં 5 કરોડ રૂપિયા લેવામાં આવે છે જ્યારે તેનો કાર્યક્રમ હોય ત્યારે યૂથ કોંગ્રેસને એક પણ રૂપિયો આપ્યો નથી. માત્ર રૂપિયા ભેગા કરવા આ પ્રકારના આયોજન કરવામાં આવે છે તેવો આરોપ પણ લગાવ્યો હતો. તે સાથે હમણાં રાહુલ ગાંધીએ દાહોદમાં કરેલી આદિવાસી યાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે દાહોદની કોંગ્રેસની સભાની અંદર 25 હજારની જનમેદની હતી પણ 70 હજારના પૈસા લીધા હતા. આમ આ પ્રકારના ગંભીર આરોપો કરી કોંગ્રેસની કાર્યશૈલીની પોલ ખૂલી કરી હતી.
પાર્ટીના બંધારણ મુજબ યૂથ કોંગ્રેસની ચૂંટણી થઈ: જગદીશ ઠાકોર
પાર્ટીના બંધારણ મુજબ કામ થાય છે. યૂથ કોંગ્રેસની ચૂંટણી પાર્ટીની કાર્યપધ્ધતીથી થઈ જેમ દરેક વર્ષોએ થાય છે. હાર્દિકભાઈ એવું ઈચ્છતા હતા કે યૂથ કોંગ્રેસથી માંડી મહિલા મોરચા અને કોંગ્રસના અન્ય પદોમાં પણ પોતાના માણસો બેસાડવામાં આવે. રૂપિયા ભેગા કરવાની વાતો પાયા વિહોણી
ગુજરાત કોંગ્રેસના અનેક કાર્યકર્તા અને ધારાસભ્યો નારાજ: હાર્દિક પટેલ
કોંગ્રેસમાં દલિત, OBC અને પાટીદાર ધારાસભ્ય સાથે અન્યાય કરવામાં આવે છે. તમારી જાત તમારે ચિંતન કરવાની જરૂર છે, ઉદયપુરમાં શિબિર કરવાની જરૂર નથી. મને અસંખ્યક લોકોએ કહ્યું કે તે પાર્ટી છોડી ખૂબ સારું કામ કર્યું. માત્ર 7-8 લોકો 33 વર્ષથી કોંગ્રેસ પાર્ટી પર રાજ કરે છે. ગુજરાતમાં એવા અસંખ્ય ધારાસભ્ય એવા છે, માત્ર ને માત્ર કોંગ્રેસ તેમનો દુરુપયોગ થાય છે અને પછી ફેંકી દેવામાં આવે છે ચીમન ભાઈને આવી જ રીતે હટાવી દેવામાં આવ્યા હતા આ વિઠ્ઠલ રાદડિયાને હટાવી દેવામાં આવ્યા, નરહરિ અમીનને હટાવી દેવામાં આવ્યા.
ઘણા MLAને હાર્દિકે કોંગ્રેસ છોડવા ફોન કર્યા પણ..: જગદીશ ઠાકોર
હાર્દિક પટેલ સામે રાજદ્રોહને કેસ ચાલતા હતા. જેથી હાર્દિક જેલમાં જવાથી બચવા પ્રયાસ કરતો હતો. હાર્દિકે કોંગ્રેસ છોડવા સમયે અનેક ધારાસભ્યોને ફોન કરીને સાથે ચાલવા કહ્યું હતું, પરંતુ કોંગ્રેસના કોઈ ધારાસભ્ય તેમની સાથે ગયા નથી.
નરેશ પટેલ સાથે માત્ર 12 મિનિટની ચર્ચા: હાર્દિક પટેલ
ગુજરાત કોંગ્રેસમાં માત્ર ને માત્ર જાતિવાદની વાત થાય છે અને ચૂંટણીલક્ષી વ્યૂહરચના પણ જાતિવાદી જ હોય છે. દોઢ મહિના પહેલા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમની જાતિ વિશે વાત કરવામાં આવી હતી. દુ:ખ સાથે કહેવું પડે છે, આજે ઘણા કોંગ્રેસ નેતા નરેશભાઈને મળ્યા, અને 12 મિનિટમાં તો બહાર આવી ગયા, ભાઈ 12 મિનિટમાં શું ચર્ચા કરીને આવ્યા?
નરેશ પટેલ સાથે માત્ર ચા પાણીનો કાર્યક્રમ હતો: જગદીશ ઠાકોર
સાથે જ જગદીશ ઠાકોરે નરેશ પટેલ મુદ્દે મૌન સેવ્યું હતું. તેમણે કહ્યું કે, નરેશભાઇને કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અત્યારે તેમની સાથ માત્ર ચા પાણી કરવાનો કાર્યક્રમ હતો.
હાર્દિક પટેલને કોંગ્રેસે શુ આપ્યું તેનો ગુજરાત કોંગ્રેસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army