લેન્ડ ગ્રેબિંગ મામલે સરકાર કડક કાર્યવાહી તરફ આગળ વધી રહી છે. અને ભૂ-માફિયાઓની દાદાગીરીને દાબવાની કોશિશમાં વધારો થઈ રહ્યો છે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટની કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં જણાવ્યું કે, 345 જેટલી FIR દાખલ કરી દેવાઈ છે. લેન્ડ ગ્રેબરો અને ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવા આ કાયદા હેઠળ કાર્યવાહી થઈ રહી છે.
345 અરજીઓમાં FIR કરાઈ દાખલ
190 જેટલા ગુનામાં ચાર્જશીટ દાખલ કરી કોર્ટ કાર્યવાહી હાથ ધરાઈ
લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 6884 હજારથી વધુ અરજીઓમાંથી 4489 અરજીની તપાસ પૂર્ણ
લેન્ડ ગ્રેબિંગ એકટમાં સરકારના દાવા સામે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ નિવેદન આપતા કહ્યું, એક્ટ સારો છે પરંતુ તેને વારંવાર ચેલેન્જ કરાયો છે. એકપણ ચમરબંધી આ એક્ટ હેઠળ જેલમાં ગયો નથી. નાના લોકો અને દલાલો સામે આ કાયદા હેઠળ કાર્યવાહી થઈ છે. મોટા વ્યક્તિઓ સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થઇ નથી. કેટલીક જગ્યાએ ખોટો ઉપયોગ થયો હોવાની પણ ફરિયાદો દાખલ થઈ હોવાનો દાવો કોંગ્રેસી ધારાસભ્યએ કર્યો છે.