ચીનને એક વાર ફરી લદ્દાખ બોર્ડર પર ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો છે. ચીની સેના PLAના કોઈ પણ પ્રયત્નોને ભલે ભારતીય સેનાના જવાનો નિષ્ફળ બનાવી રહ્યા પરંતુ આ સમયે પરિસ્થિતિ ફરી તણાવગ્રસ્ત થઈ ગઈ છે. આ ઘટના બાદ શ્રીનગર- લેહ હાઈવેને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. માત્ર આ હાઈવેનો ઉપયોગ સેનાના વાહનો માટે કરવામાં આવશે.
શ્રીનગર- લેહ હાઈવેને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો
આ હાઈવેનો ઉપયોગ સેનાના વાહનો માટે કરવામાં આવશે
આ સમયે પરિસ્થિતિ ફરી તણાવગ્રસ્ત થઈ ગઈ છે
લદ્દખ બોર્ડર પર ઝડપી થયેલી હિલચાલ પર સોમવારે સવારે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પેંગોગ લેકની આસપાસ રહેતા સ્થાનીક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ 29-30 ઓગસ્ટની રાતે ચીની સેનાએ ઈસ્ટર્ન લદ્દાખમાં પેંગોગ લેકની પાસે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ગત બેઠકોમાં બન્ને દેશોની સેનાઓ વચ્ચે બેઠક થઈ અને જે કંઈ નક્કી થયું હતુ તે બાદ વાયદાને તોડવાનું કામ કરાવામાં આવ્યું.
ભારતીય સેનાના જવાનોએ ચીનના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દિધા છે. ત્યાર લદ્દાખ બોર્ડર પર ફરી એલર્ટ વધ્યુ છે. જો કે બન્ને દેશોની વચ્ચે બ્રિગેડ કમાન્ડર લેવલની વાતચીત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે મે મહિનામાં બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ હતી. એ બાદ જૂન 14ના બન્ને દેશોની સેના વચ્ચે અથડામણ થયું હતુ. આ અથડામણમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા. ત્યારે ભારતે બોર્ડર પર સૈનિકોની હાજરી વધારી દીધી હતી અને ચીન દ્વારા ઉભી થયેલી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી.