બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / Special Navratri dress was created by a woman designer from Ahmedabad
અમદાવાદીઓ નવરાત્રીની આતુરતાથી રાહ જોતા હોય અને ખેલૈયાઓ 2થી 3 મહિના અગાઉથી તૈયારી શરૂ કરી દેતા હોય તેવામાં જો હવામાન વિભાગથી સાંભળવા મળે કે નવરાત્રિમાં મેઘરાજ વરસશે તો ખેલૈયાઓનો ઉત્સાહ નિરાશામાં બદલાઈ જતી હોય છે પણ આ વખતે આ ઉત્સુકતાને બરકરાર રાખવા માટે અમદાવાદની એક મહિલાએ સ્પેશિયલ રેઇનકોટ ચણિયાચોળી ડિઝાઈન કરી છે અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ADVERTISEMENT
અમદાવાદમાં આવેલી ન્યુ આશી પ્લાસ્ટીક ફેક્ટરી દ્વારા ડિઝાઈનર છાયા મહેતાએ વરસાદમાં વપરાતા રેઈનકોટનાં મટિરીયલમાંથી ચણિયાચોળી તૈયાર કરી છે. જેમાં તેમણે પ્રિન્ટેડ મટિરીયલ અને ટ્રાન્સપરન્ટ મટિરીયલનાં આઉટફિટ બનાવ્યાં છે. નાના બાળકોથી લઈને વડીલો પહેરી શકે એવી ચણીયાચોળી, ધોતી, કેડીયું, સાફાને વિવિઘ મટરીયલથી તૈયાર કર્યા છે. આવી ચણીયાચોળી (Chaniya Choli) પ્રથમ વખત માર્કેટમાં આવતી હોવાથી ખેલૈયાઓમાં પણ ખુશીનો માહોલ જોવાં મળી રહ્યો છે.
છેલ્લાં ધણાં વર્ષોથી નવરાત્રીમાં વરસાદ બનવાની ઘટનાઓ વધી છે અને આ વર્ષે તો ખાસ કરીને ચોમાસું મોડેક શરુ થયું હોવાથી નવરાત્રીમાં વરસાદ વધુ પડશે તેવું પણ નિષ્ણંતોનું કહેવું છે એટલે ખેલૈયાઓમાં વધુ ચિંતાનું મોજું દેખાઈ રહ્યું છે પણ આ ચિંતાને દૂર કરવા છાયા મહેતા દ્વારા તૈયાર કરાયેલી ચણીયાચોળી મહત્વનો ભાગ ભજવશે. એટલું જ નહીં આ ચણીયાચોળી ખૂબ જ સારી રીતે કચ્છી ભરતથી ડિઝાઈન હોવાથી ખેલૈયાઓને પહેરવી પણ ગમશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.