વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત્ છે. આ મહામારીને કારણે ગરીબ અને પ્રવાસી મજૂરોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી છે. આવા મુશ્કેલ સમયમાં પ્રવાસી મજૂરોની મદદ કરીને સોનુ સૂદ મસીહા બની ગયો છે અને સમગ્ર દેશમાં તેની વાહવાહી થઈ રહી છે. ત્યારે હવે સોનુ સૂદે પ્રવાસી મજૂરો માટે ખૂબ જ મોટું કામ કર્યું છે.
કોરોનાને કારણે ગરીબ અને પ્રવાસી મજૂરોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી છે
સોનુએ પ્રવાસી મજૂરો માટે કર્યું મોટું કામ
સોનુએ 20 હજાર પ્રવાસી મજૂરો માટે નોએડામાં ઘર ઓફર કર્યા છે
પોતાના 47મા જન્મદિવસ પર સોનુ સૂદે જાહેરાત કરી હતી કે, તે પ્રવાસી મજૂરોને નોકરી અપાવવામાં મદદ કરશે. જેથી તેણે પ્રવાસી રોજગાર નામની એક એપ લોન્ચ કરી હતી. જેની મદદથી સોનુએ 58 પ્રવાસી મજૂરોને નોકરી અપાવી હતી.
I am delighted to now offer accommodation for 20,000 migrated workers who have also been provided jobs in garment units in #Noida through @PravasiRojgar. With the support of #NAEC President Shri Lalit Thukral, we will work round the clock for this noble cause 😇 @lalit_thukralpic.twitter.com/XejomrrPaL
હવે સોનુએ બહુ મોટું કામ કર્યું છે. એવું કામ જે ભારત સરકાર પણ સરળતાથી કરી નથી શકતી. સોનુએ 20 હજાર પ્રવાસી મજૂરો માટે નોએડામાં ઘર ઓફર કર્યા છે. તેણે પોતે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. તેણે લખ્યું- 20 હજાર મજૂરો માટે ઘર બનાવવાનું કામ નેશનલ એસોસિએશન ફોર એલિવેશન કોન્ટ્રાક્ટરના પ્રમુખ લલિત ઠુકરાલ સાથે મળીને ચોવીસ કલાક ચાલશે.
રોજ સોનુથી આટલા લોકો માંગે છે મદદ
અગાઉ, સોનુએ પહેલી વાર જણાવ્યું હતું કે, દરરોજ કેટલા લોકો તેની પાસે મદદ માંગે છે. સોનુ સૂદે આ અંગેના આંકડા પણ શેર કર્યા છે. તેણે જણાવ્યું હતું કે, 1137 મેલ, 19000 ફેસબુક મેસેજ, 4812 ઈન્ટા મેસેજ અને 6741 ટ્વિટર મેસેજ. આ આજના હેલ્પ મેસેજિસ છે. એવરેજ આંકડાની વાત કરીએ તો મને લગભગ રોજ આટલી રિક્વેસ્ટ મળે છે. એક માણસ હોવાથી મારા માટે આટલા લોકો સુધી પહોંચવું અસંભવ છે. પરંતુ તેમ છતાં હું મારો બનતો પ્રયાસ કરું છું.