ગુજરાતમાં જંત્રીમાં વધારા અંગે મુખ્યમંત્રી અને બિલ્ડર્સ વચ્ચે યોજાયેલ બેઠક પૂર્ણ, CMએ યોગ્ય નિર્ણય કરવાની આપી ખાતરી, ક્રેડાઈ અને ડેવલપર્સની બેઠક બાદ સરકારની મહત્વની બેઠક
મુખ્યમંત્રી અને બિલ્ડર્સ વચ્ચે યોજાયેલ બેઠક પૂર્ણ
જંત્રીમાં વધારા અંગેની મુખ્યમંત્રી અને બિલ્ડર્સ વચ્ચે યોજાયેલ બેઠક પૂર્ણ
મુખ્યમંત્રીએ બિલ્ડર્સની રજૂઆત સાંભળી, યોગ્ય નિર્ણય કરવાની આપી ખાતરી
ક્રેડાઈ અને ડેવલપર્સની બેઠક બાદ સરકારની મહત્વની બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અધિકારીઓની બેઠક
બેઠકમાં ક્રેડાઈ અને ડેવલપર્સની રજૂઆત સંદર્ભે થશે ચર્ચા
આજથી જંત્રીનો ભાવ વધારો અમલમાં આવ્યો છે. આ તરફ આજે જંત્રીના કરવામાં આવેલા ભાવ વધારાના વિરોધમાં ક્રેડાઈ ના હોદ્દેદારો સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી સાથે બેઠક પૂર્ણ થયા બાદ જણાવાયું છે કે, મુખ્યમંત્રીએ યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે. આ તરફ હવે ક્રેડાઇ અને ડેવલપર્સની મીટીંગ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે અધિકારીઓની બેઠક શરૂ થઈ છે. જેમાં CMના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા સહિતના અધિકારીઓ હાજર છે. જોકે હવે રજુઆત બાદ જંત્રીના ભાવ વધારા અને સમય અંગે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે.
GIHED અને ક્રેડાઈના બિલ્ડર્સની મુખ્યમંત્રી સાથે બેઠક પૂર્ણ
ગુજરાતમાં આજથી જંત્રીનો ભાવ વધારો અમલમાં આવવાની વચ્ચે આજે GIHED અને ક્રેડાઈના બિલ્ડર્સની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં GIHED અને ક્રેડાઈના બિલ્ડર્સ દ્વારા જંત્રીમાં તબક્કાવાર ભાવવધારાની રજૂઆત કરાઇ હતી. આ સાથે જંત્રી અંગે વૈજ્ઞાનિક ઢબે સર્વે કરવા અને 1મેથી નવી જંત્રી લાગુ કરવા રજૂઆત કરાઇ હતી. જોકે બેઠક બાદ મુખ્યમંત્રીએ યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હોવાનું જણાવાયું છે.
ક્રેડાઈ અને ડેવલપર્સની બેઠક બાદ સરકારની મહત્વની બેઠક
આ તરફ હવે ક્રેડાઈ અને ડેવલપર્સની બેઠક બાદ સરકારની મહત્વની બેઠક ચાલી રહી છે. મહત્વનું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુખ્ય સચિવ રાજ કુમાર અને શહેરી વિકાસ વિભાગ અગ્રસચિવ મુકેશ કુમાર સાથે બેઠક છે. આ બેઠકમાં ક્રેડાઈ અને ડેવલપર્સની રજૂઆત સંદર્ભે ચર્ચા થશે. નોંધનીય છે કે, બેઠક બાદ જંત્રીના ભાવ વધારા અને સમય અંગે સરકાર મોટો નિર્ણય કરી શકે છે.
બપોર સુધીમાં કોઈ નિર્ણય થાય તેવી શક્યતા
જંત્રીના દર ડબલ કરવાના મુદ્દે ક્રેડાઈ સાથે બેઠક બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. ગુજરાતમાં બિલ્ડરો અને લોકોમાં જાગેલા રોષ વચ્ચે રસ્તો કાઢવા સરકારે મથામણ શરૂ કરી છે. મહત્વનું છે કે, મુખ્યમંત્રી સાથેની બેઠકમાં અનેક સિનિયર અધિકારીઓ હાજર રહ્યા છે. જંત્રીના દરમાં રાહત આપવા અને અમલ પાછો ઠેલવા અંગે વિચારણા થઈ શકે છે. આ તરફ હવે આજે બપોર સુધીમાં કોઈ નિર્ણય થાય તેવી શક્યતા છે.
ક્રેડાઈએ શું માગ કરી?
પેઈડ FSIમાં જંત્રી 40%ના બદલે 20% કરવામાં આવે
એડહોક 100% વધારાને બદલે સાયન્ટીફીક રીતે જંત્રી કરવી જોઈએ
રહેણાંક, ફ્લેટ અને દુકાનની જંત્રીમાં 20%નો કરવો જોઈએ વધારો
યુનિટનું પ્રથમ વેચાણ થવા સમયે સ્ટેમ્પ ડ્યુટી 1% ઘટાડવી જોઈએ
સરકાર દ્વારા જંત્રીના ભાવ વધારાનો ઠરાવ કરતો પરિપત્ર જાહેર થયો છે. હવે ગુજરાતમાં નવા દરો પ્રમાણે જંત્રી વસુલવામાં આવશે. જંત્રીના ભાવ વધારા સામે બિલ્ડર એસોસિએશનમાં નારાજગી જોવા મળી રહી છે. જેને લઈ હવે આજે જંત્રીના ભાવ વધારા સામે બિલ્ડર એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
આ તરફ મુખ્યમંત્રીને મળ્યા પહેલાં બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું કે, સરકારે જંત્રીના ભાવમાં વધારો કર્યા પહેલાં સર્વે કરવાની જરૂર છે. સર્વે કર્યા બાદ નોટિફિકેશન જાહેર કરીને જંત્રીનો ભાવ વધારવો જોઈએ. મહત્વનું છે કે, અગાઉ જંત્રીના ભાવ વધારા સામે બિલ્ડર એસોસિએશને વિરોધ કર્યો હતો.
આજથી જંત્રી નો ભાવ વધારો અમલમાં
મહત્વનું છે કે, આજથી જંત્રીનો ભાવ વધારો અમલમાં આવ્યો છે. આ તરફ આજે જંત્રીના કરવામાં આવેલા ભાવ વધારાના વિરોધમાં ક્રેડાઈ ના હોદ્દેદારો સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સાથે બેઠક કરતા પૂર્વે હોદ્દેદારોએ તબક્કા વાર જંત્રીમાં ભાવ વધારો કરવો જોઈએ તેવી રજૂઆત પણ કરી છે. આ સાથે કહ્યું છે કે, રાજ્ય સરકાર અને લીધેલા રાતોરાત નિર્ણયના કારણે બાંધકામ ઉદ્યોગને અસર થશે. બિલ્ડર્સનો કહેવું છે કે, જો સરકાર કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં રણનીતિ નક્કી કરાશે.
સરકાર દ્વારા જંત્રીના ભાવ વધારાનો ઠરાવ કરતો પરિપત્ર જાહેર થયો છે. હવે ગુજરાતમાં નવા દરો પ્રમાણે જંત્રી વસુલવામાં આવશે. જંત્રીના ભાવ વધારા સામે બિલ્ડર એસોસિએશનમાં નારાજગી જોવા મળી રહી છે. તો બીજ બાજુ નાગરિકોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. જંત્રીના ભાવ વધવાથી રિઅલ એસ્ટેટના ભાવમાં પણ વૃદ્ધિ થશે તેવો પણ મંતવ્યો સામે આવ્યા છે. રાજ્યમાં ભાવ ઉચકાતા દેશ-વિદેશમાંથી રિયલ એસ્ટેટમાં મૂડી રોકાણ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હાલના તબક્કે નાગરિકો પર બોજો વધશે પરંતુ લાંબા ગાળે ગ્રાહકો અને બિલ્ડર્સને ફાયદો થશે.
જંત્રીનો ડબલ ભાવ થતા બિલ્ડર્સ એસોસિએશનની બેઠક
જંત્રીના ભાવમાં વધારા મામલે ગુજરાતના બિલ્ડરો મુખ્યમંત્રીને આજે રજૂઆત કરશે. જંત્રીના ભાવમાં વધારો કર્યા પહેલાં સમય આપવા બિલ્ડરો માગ કરી રહ્યાં છે. જંત્રીના ભાવમાં વધારો થતાં ગઇકાલે ક્રેડાઈની બેઠક મળી હતી. ક્રેડાઈની બેઠકમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો.