ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપના ટિકિટ પર અમેઠી સંસદીય મત વિસ્તારમાંથી લડવા આવેલી સ્મૃતિ ઈરાનીએ ચૂંટણી જીત્યા બાદ જિલ્લા મથક પર પોતાનું ઘર બનાવીને લોકોને મળવાનું ચાલુ રાખવાનું વચન આપ્યું હતું. ચૂંટણીના બે વર્ષ બાદ આ વચનને પૂર્ણ કરવાની કવાયત શરૂ થઈ છે.
સ્મૃતિના નિવાસસ્થાન બનાવવા માટે જે જમીનની વાટાઘાટો કરવામાં આવી છે તે શહેરથી ત્રણ કિલોમીટર દૂર સરાય ભાગમની ગ્રામ પંચાયતમાં છે. સમગ્ર રોહિણી પાંડે ગામની પાસે ટિકારીયા-મેદાન મવઈ માર્ગ તરફ જતા માર્ગ ઉપર મધર ડેરી પ્રોજેક્ટની સામે જમીન આવેલી છે. કુલ જમીન વિસ્તાર આશરે 11 વિઘા છે.
11 વિઘા જમીન માટે 12.9 લાખ રૂપિયા ચુકવાયા
ભૂમિ સ્વામી ફૂલમતીના પુત્ર ગયા પ્રસાદ પાંડેએ જણાવ્યું કે તેમને ગાટા નંબર બે પર સ્થિત 11 વિઘા જમીન માટે 12.9 લાખ રૂપિયા મળવાના છે. આમાંથી કેટલાક નાણાં તેમને અગાઉથી આપવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ જમીનની ડીલ તૈયાર થઇ ચૂકી છે જેમાં લેનારમાં સ્મૃતિ ઇરાનીનું નામ છે અને વેચાણ કર્તામાં ફુલમતીનું નામ નોંધાયેલું છે.