ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. રવિવારે તેમણે આ પ્રકારની જાણકારી ટ્વિટ કરીને આપી હતી.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના પોઝિટિવ
ટ્વિટ કરીને આપી જાણકારી
રાજેન્દ્રનગર સીટ પર ચૂંટણી પ્રચારના કાર્યક્રમ રદ
ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. રવિવારે તેમણે આ પ્રકારની જાણકારી ટ્વિટ કરીને આપી હતી. આ દરમિયાન તેમણે રાજેન્દ્ર નગરમાં આયોજીત કાર્યક્રમમાં જોડાઈ નહીં શકે, તેના માટે લોકો પાસે માફી માગી હતી. હકીકતમાં જોઈએ તો, દિલ્હી રાજેન્દ્ર નગર વિધાનસભા મત વિસ્તારામં પેટાચૂંટણી થવાની છે. રવિવારે સ્મૃતિ ઈરાનીનો આ વિસ્તારમાં ચૂંટણી કાર્યક્રમ હતો.
राजेंद्र नगर में आयोजित कार्यक्रम में सम्मिलित नहीं हो पाने के लिए मैं वहाँ के नागरिकों से क्षमा चाहती हूँ, क्योंकि मेरी कोरोना रिपोर्ट पॉजिटिव आई है।
આપને જણાવી દઈએ કે, દિલ્હીના રાજેન્દ્ર નગર વિધાનસભા સીટ પર 23 જૂનના રોજ પેટાચૂંટણી થવાની છે. જેની મતગણતરી 26 જૂને થશે. આ વિધાનસભા સીટ ત્યારે ખાલી થઈ હતી, જ્યારે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા આ સીટ છોડીને રાજ્યસભાના સભ્ય બન્યા હતા. સ્મૃતિ ઈરાની આ સીટથી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર રાજેશ ભાટિયાના સમર્થનમાં રવિવારે આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા જવાના હતા.
સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરીને આપી જાણકારી
સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરીને કહ્યું કે, રાજેન્દ્ર નગરમાં આયોજીત કાર્યક્રમમાં સામેલ થઈ શકીશ નહીં, તેથી ત્યાંના લોકો પાસે માફી માગુ છું. કારણ કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું રાજેન્દ્રનગરના લોકોને રાજેશ ભાટિયાને વોટ આપવા અને દિલ્હી ભાજપને જીતાડવા માટે અપીલ કરુ છું. દિલ્હીની રાજેન્દ્ર સીટ પર યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર થવાની સંભાવના છે.