તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં અમેઠી બેઠક પરથી કોંગ્રેસના રાષ્ટીય અધ્ય રાહુલ ગાંધીને પરાજય આપ્યા બાદ ભાજપના દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાની સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ 14 કિમી ચંપલ વગર જ ચાલીને સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીના પરિણામમાં હાર-જીતને લઇને હજી ચર્ચાઓ ચાલી રહી છે જેમાં એક બેઠક એવી પણ છે જેના પરિણામોને લોકો આજે પણ સ્વીકારવા તૈયાર નથી, આ બેઠક એટલે વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી બેઠક.
ભાજપના નેતા અને અમેઠી બેઠકના સાંસદ સ્મૃતિ ઈરાનીએ ગતરોજ રાતે 14 કિ.મી. જેટલું લાંબું અંતર પગે ચાલીને અત્રે મુંબઇના દાદર ખાતે આવેલ સુપ્રસિધ્ધ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગયાં હતાં અને ત્યાં ગણપતિજીનાં દર્શન કર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, તેમની આ પગપાળા યાત્રામાં સાથે ટેલિવિઝન અને ફિલ્મ નિર્માત્રી એકતા કપૂર અને એમનો ચાર-મહિનાનો પુત્ર રવિ પણ સામેલ હતાં. આ યાત્રાનો એક વીડિયો એકતા કપૂરે પોસ્ટ કર્યો હતો.
એકતાએ કહ્યું કે, સ્મૃતિ 14 કિલોમીટર ઉઘાડા પગે ચાલીને સિદ્ધિવિનાયક દર્શન કરવા પહોંચી. જ્યારે સ્મૃતિને આ કાઇક બોલવાનું કહ્યું તો તેણીએ કીધું- ઇશ્વરે મન્નત પુરી કરી છે. સંભવત: તે મન્નત અમેઠીની જીતની જીતની હશે.