લુણાવાડા નગરમાં વાવનામુવાડાનો મધ્યમ વર્ગીય કુટુંબમાંથી આવતો ૧૮ વર્ષીય યુવાન જય પગી માટીમાંથી મુર્તિ બનાવે છે તેને ચિત્રકલા અને માટીની મૂર્તિઓ બનાવવાનો ખૂબ શોખ છે.
યુવાને ગણપતિની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી
માટીમાંથી બનાવી ૫૦ થી ૬૦ ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ
એવૉર્ડ અને રોકડ પુરસ્કાર પણ મળ્યા
વિધ્નહર્તાની આરાધનનાનો મહાઉત્સવ હવે થોડા દિવસોમાં શરૂ થવાનો છે. ત્યારે એક તરફ શ્રદ્ધાળુઓ ગણેશ મહોત્સવની તૈયારીમાં લાગી ગયા છે તો બીજી તરફ મૂર્તિકારો દુંદાળાની મૂર્તિને આખરી ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે. જોકે, દર વખતની જેમ ગણેશ ઉત્સવમાં આ વખતે પણ પર્યાવણ જાળવણીની ચિંતા ઊભી થશે. આવા સમયે કેટલાક મૂર્તિકારો જાણે પોતાની કળાને પર્યાવરણ સંરક્ષણ માટે સમર્પિત કરી રહ્યા હોય તેવો માહોલ પણ જોવા મળ્યો છે. મહિસાગરના લુણાવાડામાં એક નાનકડો કારીગર માટીની મૂર્તિ બનાવીને પર્યાવણ સંરક્ષણનો સંદેશ આપી રહ્યો છે.
પીઓપીની મૂર્તિ પર્યાવરણ માટે જન્માવે છે નવી ચિંતા
વિધ્નહર્તાની આરાધના કરવાનો સુંદર અવસર એવો `ગણેશ મહોત્સવ' થોડા સમયમાં જ શરૂ થઈ રહ્યો છે. ત્યારે બજારમાં વેચાણ માટે ગણેશની મૂર્તિઓ આવી ગઈ છે. તો કેટલાક કારીગરો ગણેશની મૂર્તિઓને આખરી આપ આપવામાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે. હવે થોડા દિવસોમાં લોકો ગણેશની મૂર્તિને વાજતે ગાજતે પોતાના ઘરે લઈ જતા હોય તેવા દ્રશ્યો જોવા મળશે.જો કે, આસ્થાના આ તહેવાર સાથે સાથે પર્યાવરણ સંરક્ષણની પણ ચિંતા ઊભી થાય છે. કારણ કે આ દિવસોમાં પીઓપીની મૂર્તિ પર્યાવરણ માટે નવી ચિંતા જન્માવે છે.
૫૦ થી ૬૦ નાની મોટી ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ માટીમાંથી બનાવી
ત્યારે મહિસાગરના લુણાવાડાના વાવનામુવાડા ગામનો જયપગી નામનો પોતાની કળા દ્વારા પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ આપી રહ્યો છે.એક મધ્યમ વર્ગીય કુટુંબમા જન્મેલો 17 વર્ષીય જય પગી માટીમાંથી ગણપતિની મૂર્તિ બનાવી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં ૫૦ થી ૬૦ નાની મોટી ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ માટીમાંથી બનાવી છે. અને આ રીતે તે "પર્યાવરણ બચાવો. પ્રદૂષણ અટકાવો"નો સંદેશ આપી રહ્યો છે.
માટીકલામાં યુવાનને મળ્યા છે અનેક એવૉર્ડ
જય પગી એક મધ્યમ વર્ગમાંથી આવતો કલાકાર છે.તેના માતા પિતા મજુરી કરીને તેને ભણાવે છે.નાનપણથી જ ગણપતિમાં શ્રધ્ધા ધરાવતો જય પગી હવે "પર્યાવરણ બચાવો, પ્રદૂષણ અટકાવો" ના સૂત્રને સાકાર કરવા પોતાની કલાનો ઉપયોગ કરી રહ્યો છે. આ કિશોર કલાકારને ચિત્રકલા અને માટીકલા માટે જુદી જુદી સંસ્થા દ્વારા એવૉર્ડ અને રોકડ પુરસ્કાર પણ મળ્યા છે. કલા પ્રત્યે તેનું સમર્પણ અને ઘગશથી તેના માતા પિતા ઘણાં સંતુષ્ટ છે. જય પગી નામનો આ કલાકાલ હાલ બી. કોમમા અભ્યાસ કરી રહ્યો છે. સાથે સાથે તે સ્ચચ્છ ભારત મિશનને સાકાર કરવા છેલ્લા ત્રણ વર્ષથી બીગ હ્યુમન ગ્રૂપ સાથે જોડાયો છે. બીગ હ્યુમન ગ્રુપ ગણપતિની માટીની ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ બનાવીને સ્થાપન કરે છે. અને લોકોમાં જળ અને પર્યાવરણ સંરક્ષમ વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે.