ભાજપ હાઇકમાન્ડે શુક્રવારના રોજ ગઇકાલે પૂર્વ CM વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢની જવાબદારી સોંપતા હવે રાજકોટ પશ્ચિમ બેઠક પર નવા ઉમેદવારની શોધખોળના સંકેત.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ પક્ષોમાં કંઇક ને કંઇક નવાજૂની તો થતી રહેવાની. ત્યારે ચૂંટણી પૂર્વે રાજકોટ પ્રશ્ચિમ બેઠકને લઇ મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટની પશ્ચિમ બેઠક માટે ભાજપ નવા ઉમેદવારની શોધમાં હોવાના સંકેત મળી રહ્યાં છે.
BJP appoints party's state incharges & co-incharges for states
Ex-Tripura CM Biplab Deb to be the incharge of Haryana,ex-Gujarat CM Vijay Rupani to be that of Punjab-Chandigarh, ex-Bihar Minister Mangal Pandey to be that of WB & Sambit Patra to be coordinator of northeast states pic.twitter.com/z80tMyGYQw
ગઇકાલે ભાજપ હાઇકમાન્ડે વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની કરી હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ભાજપ હાઇકમાન્ડે વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરી હતી. જેમાં પૂર્વ CM વિજય રૂપાણીને કેન્દ્રીય નેતૃત્વએ મોટી જવાબદારી આપી હતી. વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઇ
મહત્વનું છે કે, ભાજપે ગઇકાલે રાજ્યોના નવા પ્રભારી નિયુક્ત કર્યા છે. જેમાં બિહાર પ્રભારી વિનોદ તાવડેને પ્રભારી, જ્યારે હરીશ દ્વિવેદદીને સહપ્રભારી બનાવ્યા છે. ઓમ માથુર છત્તીસગઢના પ્રભારી બનાવ્યા છે. નિતિન નવીન સહ પ્રભારી બનાવ્યા છે. હરિયાણાના પ્રભારી વિપ્લવ દેવ, ઝારખંડના લક્ષ્મીકાંત બાજપેઈ, કેરલના પ્રકાશ જાવડેકર, મધ્ય પ્રદેશના મુરલીધર રાવ, પંજાબના વિજય રુપાણી, તેલંગણાના તરુણ ચુગ, રાજસ્થાનના અરુણ સિંહ, ત્રિપુરાના મહેશ શર્મા અને પશ્ચિમ બંગાળના મંગલ પાંડે પ્રભારી બનાવ્યા છે. તો વળી સમગ્ર ઉત્તર પૂર્વ રાજ્યોના સંયોજક સંબિત પાત્રાને બનાવ્યા છે.
થોડા દિવસ પહેલા પૂર્વ સીએમ રૂપાણીએ જવાબદારીને લઈ આપ્યું હતું મોટું નિવેદન, જુઓ VIDEO
પાર્ટી જો ટિકિટ આપશે, તો ચૂંટણી લડીશ: વિજય રૂપાણી
તમને જણાવી દઇએ કે, વિજય રૂપાણી જ્યારે સોમનાથ મહાદેવના દર્શને ગયા હતા ત્યારે તેઓએ જો પક્ષ ટિકિટ આપે તો ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. ગત 27 ઓગસ્ટના રોજ વિજય રૂપાણી શ્રાવણ મહિનાના અંતિમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા એ દરમ્યાન તેઓએ ગુજરાતમાં ચૂંટણી લડવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'પાર્ટી જો ટિકિટ આપશે, તો ચૂંટણી લડીશ.'અમે કોઇ પદ માટે કામ કરતા નથી. કોઇ ટિકિટો માટે કામ કરતા નથી. એક સ્વપ્ન છે કે ભારતમાતા શક્તિશાળી ભારતમાતા બને. પરમવૈભવના શિખર પર ભારત પહોંચે એ માટે એક સ્વપ્નથી કામ કરીએ છીએ. પાર્ટી જે કંઇ કામ સોંપે છે એ હંમેશા અમે કરતા આવ્યા છીએ. ચૂંટણી લડવાનું કહે તો લડીએ, ચૂંટણી ન લડવાનું કહે તો ચૂંટણી જીતવા માટે કામ કરીએ છીએ. આ અમારી એક પદ્ધતિ રહી છે.'