બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sidsar Umiyadham president Jeram Patel will resign
Priyakant
Last Updated: 01:33 PM, 23 December 2023
Jeram Patel Resign : મોરબીમાં નકલી ટોલનાકાના કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સિદસર ઉમિયા ધામના પ્રમુખ જેરામ પટેલનો પુત્ર આરોપી છે. જોકે હવે સૂત્રોનું માનીએ તો સિદસર ઉમિયા ધામના પ્રમુખ જેરામ પટેલ તેમના પદેથી રાજીનામુ આપી શકે છે. મહત્વનું છે કે, જેરામ પટેલની વયમર્યાદામાં હજુ છ માસ બાકી હોવાની વાત સામે આવી છે. પણ પુત્રનું નામ મોરબી નકલી ટોલનાકા મામલે સામે આવતા તેઓ 6 તારીખે રાજીનામું આપી શકે છે.
સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામપટેલ રાજીનામું આપી શકે છે. જોકે હાલ તો વયમર્યાદાને કારણે રાજીનામું આપે તેવી અને ગેરકાયદે ટોલનાકાના વિવાદ વચ્ચે રાજીનામું આપી એવી ચર્ચા થઈ રહી છે. મહત્વનું છે કે, રવિવાર પાટીદાર અગ્રણીઓની બેઠક પહેલા આ સમાચાર સામે આવતા અનેક ચર્ચાઓ વેગ મળ્યો છે.
રવિવારે રાજકોટ ખાતે બેઠક
મોરબી નકલી ટોલનાકામાં પાટીદાર આગેવાન જેરામ પટેલના પુત્રનું નામ સામે આવ્યું છે. આ દરમિયાન હવે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામ પટેલ અને પાટીદાર આગેવાનોએ એક બેઠક બોલાવી છે. નકલી ટોલનાકા પ્રકરણમાં જેરામ પટેલના પુત્રનું નામ બહાર આવતા સમાજની બદનામી થઈ રહી છે. જેને લઈ હવે પાટીદાર આગેવાનોએ રવિવારે રાજકોટ ખાતે બેઠક બોલાવી છે. વિગતો મુજબ બેઠકમાં જેરામ પટેલના પુત્રના નામને લઈને સમાજની થઈ રહેલી બદનામી અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં જેરામ પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો હાજર રહેશે.
વાયરલ થયેલ ઓડિયો ક્લિપથી પણ અનેક સવાલો
મોરબી ગેરકાયદે ટોલનાકા મુદ્દે હજગદીશ કોટડીયા અને ભરત લાડાણી નામના વ્યક્તિની ટેલિફોનિક વાતચીતમાં અમરશી પટેલને છોડાવવાની તજવીજ હોય તેવું સંભળાઈ રહ્યું છે. મહત્વનું છે કે, VTV ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. જેમાં પોલીસે C સમરી ફાઈલ કરી દીધી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે હાઈકોર્ટમાં ક્વોશીંગ પીટીશન દાખલ કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જગદીશ કોટડીયા જેરામ પટેલના નજીકના ગણાય છે તો સાથે તેઓ સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ પણ છે. વાયરલ ઓડિયો ક્લિપમાં જગદીશ કોટડીયાએ દાવા સાથે કહ્યું કે, DySPને મળી આવ્યો છું, પોલીસ વડા C સમરી ભરીને અમરીશને મુક્ત કરશે. VTV ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી.
શું છે સમગ્ર મામલો ?
મોરબીના વાંકાનેર પંથકમાં વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકુ ચલાવવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે. નકલી ટોલનાકુ ઉભું કરી કરોડો રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. NHAIના ટોલનાકાની બાજુમાં ગેરકાયદે ટોલનાકુ ધમધમતું જોવા મળ્યું છે. ટોલ પ્લાઝા પાસે ટોલનાકુ બાયપાસ કરીને વાહનોને પસાર કરવામાં આવે છે. ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200 રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે NHAIના ટોલનાકા દ્વારા કારના 110, નાના ટ્રકના 180, બસના 410, મોટા ટ્રકના 595 અને હેવી ટ્રકના 720 લેવામાં આવતા હોવાથી વાહનચાલકો ગેરકાયદે બનાવેલા ટોલનાકામાંથી પસાર થાય છે.તો VTV NEWSના અહેવાલ બાદ પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી.
બોગસ ટોલનાકા મામલે પાટીદાર સમાજના આગેવાનના દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ
મોરબીનાં વાંકાનેરમાં બોગસ ટોલનાકા માટે ખુલાસો થવા પામ્યો છે. જેમાં આ સમગ્ર કૌભાંડમાં પાટીદાર સમાજનાં આગેવાનનાં દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ થયો છે. પાટીદાર અગ્રણી જેરામ પટેલનાં દીકરા અમરશી પટેલનાં નામનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. ફરિયાદમાં અમરશી પટેલ સહિત 5 લોકોનાં નામે ફરિયાદ નોંધાઈ છે. વઘાસીયા ગામનાં સરપંચ ધર્મેન્દ્ર ઝાલા અને તેનાં ભાઈ યુવરાજસિંહ ઝાલાના નામે પણ ફરિયાદ નોંધાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army