બોર્ડર-ગાવસ્કર સીરીઝ પહેલા ભારતીય ટીમ માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. ટીમના સ્ટાર બેટર શ્રેયસ ઐયર પહેલી મેચથી બહાર થયા છે.
ભારતીય ટીમ માટે માઠા સમાચાર
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી પહેલા આવ્યાં સમાચાર
ટીમના સ્ટાર બેટર શ્રેયસ ઐયર પહેલી મેચથી થયા બહાર
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં શ્રેયસ ઐયર બહાર
ભારતીય ટીમ 2023ની પહેલી ટેસ્ટ શ્રેણી ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ શ્રેણી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં રમાશે. સીરીઝની પહેલી મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે. ભારતીય ટીમ આ શ્રેણીની તૈયારીમાં જોડાઈ છે. આ દરમ્યાન ટીમના સ્ટાર બેટર શ્રેયસ ઐયર પહેલી ટેસ્ટ મેચમાંથી બહાર થવાના સમાચાર આવ્યાં છે. ઐયર પોતાની બેક ઈન્જરીને કારણે પહેલા મેચમાંથી બહાર થયા છે.
ઐયર બીજી ટેસ્ટ મેચ સુધી પોતાની ફિટનેસ પ્રાપ્ત કરી લેશે. આની પહેલા તેમનો ન્યુઝીલેન્ડ સામે વન-ડે શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેમને નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગલુરૂમાં રિહેબ માટે મોકલી દેવામાં આવ્યો હતો.
પહેલી ટેસ્ટ માટે ઉપલબ્ધ નહીં હોય ઐયર
એક સૂત્રએ લોકપ્રિય અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું, આશા મુજબ ઐયરની ઈજા સારી થઇ નથી અને તેમને ફરીથી ક્રિકેટમાં રમવામાં ઓછામાં ઓછો બે અઠવાડિયાનો સમય લાગશે. ઐયર પહેલી ટેસ્ટ મેચમાં નહીં રમે અને બીજી ટેસ્ટમાં તેમની ફિટનેસ તેમની ઉપલબ્ધતા નક્કી કરશે. ઐયર અત્યાર સુધી કુલ 7 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. આની પહેલા બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણીમાં ઐયર સારા ફોર્મમાં જોવા મળ્યા હતા.
જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચમાં રમશે
આ દરમ્યાન ભારત માટે રવિન્દ્ર જાડેજાના રૂપમાં એક સારા સમાચાર પણ સામે આવ્યાં છે. સ્ટાર ઓલરાઉન્ડરે હાલ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર તરફથી રમતા દેખાયા હતા. રિપોર્ટ્સ મુજબ, જાડેજા ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ભાગ હશે. રણજીમાં તામિલનાડુ સામે રમાયેલી મેચમાં જાડેજાએ 42 ઓવર રમી હતી, જેમાં તેમણે 7 વિકેટ લીધી હતી.