ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પૂણેમાં રમાયેલ પહેલી વન ડે મૅચમાં ટીમ ઇન્ડિયાનો ખેલાડી શ્રેયસ ઐયર ગંભીર ઇજાનો શિકાર થઇ ગયો છે. આ કારણકે તે IPL-2021માં રમશે કે નહી તેને લઇને સવાલ ઉભા થયા છે.
શ્રેયસ ઐયરને થઇ ખભામાં ઇજા
IPL- 2021માંથી બહાર હશે ઐયર?
DCના માલિકે ટ્વિટ કરીને આપ્યા સંકેત
ફિલ્ડીંગ વખતે થઇ હતી ઇજા
23 માર્ચના રોજ રમાયેલ વન ડે મૅચ દરમિયાન શ્રેયસ ઐયરના ખભાનુ હાડકુ ખસી ગયુ હતુ. ઇંગ્લેન્ડની ઇનીંગ વખતે 8મી ઓવરમાં જ્યારે શ્રેયસે જોની બેયરસ્ટોના એક શોટને રોકવાના પ્રયત્નમાં ડાઇવ લગાવી હતી ત્યારે તેને ઇજા થઇ હતી.
Absolutely devastated and gutted for our skipper @ShreyasIyer15 - stay strong captain - hope for a very quick recovery. Have full faith that you will come back even stronger from this. India needs you in the T20 World Cup. @DelhiCapitals@BCCI
DCના માલિકે જતાવ્યો અફસોસ
દિલ્હી કેપીટલ્સના કો ઓનર પાર્થ જીંદાલે ટ્વિટ કરીને કહ્યું કે, પોતાના કેપ્ટન શ્રેયસ ઐયરની આ હાલત જોઇને ખુબ દુઃખ થયુ હતુ, આ વાતને લઇને હું ખુબ નિરાશ છુ. તમે મજબૂત રહેજો કેપ્ટન. આશા રાખુ છુ કે તમે જલ્દી જ હેલ્ધી થઇ જશો અને વધુ મજબૂતી સાથે પ્રદર્શન કરશો. ટી-20 વર્લ્ડ કપમાં ભારતને તમારી જરૂર છે.
UPDATE - Shreyas Iyer subluxated his left shoulder in the 8th over while fielding. He has been taken for further scans and won't take any further part in the game.
Rohit Sharma was hit on the right elbow while batting and felt some pain later. He won't take the field.#INDvENGpic.twitter.com/s8KINKvCl4
IPLમાંથી બહાર હશે ઐયર?
દિલ્હી કેપિટલ્સના કો ઓનરની આ ટ્વિટથી ઇશારો મળી રહ્યો છે કે તે મેદાનમાં જલ્દી વાપસી નહી કરે. પાર્થ જીંદાલ પોતે ઇચ્છે છે કે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇને જ વાપસી કરે અને આ વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડકપમાં સામેલ થાય.
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો
નોંધનીય છે કે આ શ્રેણીની બીજી વનડે મેચ 26 માર્ચે રમાનાર છે, પરંતુ આ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરના આધાર સમા બેટ્સમેન શ્રેયસ અય્યરને ઇજા થઈ છે, જેના કારણે તે બાકીની બે મેચમાંથી બહાર થઈ ગયો છે. નોંધનીય છે કે પહેલી મેચમાં અય્યર ઈંગ્લેન્ડના ઓપનર જોની બેરિસ્ટોના એક શૉટને રોકવાના ચક્કરમાં તેના ડાબા ખભા માથે પડી ગયો હતો, જેથી તેનો ખભા ખસી ગયો હતો. તે સમયે તે પીડાથી કણસતો અવાજ કરી મેદાનની બહાર નીકળી ગયો હતો.
અય્યરની છેલ્લી બે વન-ડે મેચમાંથી બહાર નીકળવાનો બાકી છે, પરંતુ તે આઇપીએલ 2021 માં દિલ્હી કેપિટલ માટે પહેલી કેટલીક મેચ પણ રમી શકશે નહીં. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અય્યરને સર્જરીની જરૂર પડી શકે છે અને જો આવું થાય, તો તે લગભગ બે મહિના સુધી મેદાનથી દૂર રહેશે.