ઉત્તર પ્રદેશ પોલીસે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિતાના પરિવાર અને મુખ્ય આરોપી સંદીપ ફોન દ્વારા એકબીજાના સંપર્કમાં હતા. પીડિતાના પરિવાર અને સંદીપ વચ્ચે ફોન પર વાતચીત ગયા વર્ષે ઓક્ટોબરમાં શરૂ થઈ હતી. પીડિત પરિવાર અને આરોપી વચ્ચે 104 વાર ફોન પર વાતચીત થઈ હતી.
હાથરસ કેસ મામલે યુપી પોલીસનો ચોંકાવનારો દાવો
પીડિતાના ભાઈ અને આરોપી વચ્ચે હતો ટેલિફોનિક સંપર્ક
બંને વચ્ચે કુલ 100થી વધુ વાર થઈ હતી વાતચીત
હાથરસ કાંડ ની તપાસમાં નવો ખુલાસો થયો છે. ઉત્તર પ્રદેશ પોલીસ ને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિતા ના પરિવાર અને મુખ્ય આરોપી સંદીપ ફોન દ્વારા સંપર્કમાં હતા. પીડિતા ના પરિવાર અને સંદીપ વચ્ચે ફોન વાતચીત ગયા વર્ષે ઓક્ટોબરમાં શરૂ થઈ હતી. પીડિત પરિવાર અને આરોપી વચ્ચે 104 ફોનની વાતચીત થઈ હતી.
યુપી પોલીસ ની તપાસમાં થયો આ ખુલાસો
હાથરસ ની ઘટનામાં યુપી પોલીસ ની તપાસમાં આ ખુલાસો થયો છે. પોલીસે આરોપી અને પીડિત પરિવારના કોલ રેકોર્ડની તલાશી લીધી ત્યારે તેમને જાણવા મળ્યું કે વાતચીત ગત વર્ષે 13 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. મોટાભાગના કોલ્સ ચાંદપા વિસ્તારમાંથી જ કરવામાં આવ્યા છે, જે પીડિતા ના ગામથી માત્ર 2 કિમી દૂર છે.
આમાંથી, 62 કોલ પીડિતા ના પરિવાર દ્વારા કરવામાં આવેલા છે, જ્યારે 42 કોલ આરોપી સંદીપ દ્વારા કરવામાં આવ્યા છે. યુપી પોલીસ એ તેની તપાસમાં શોધી કાઢ્યું કે પીડિતા ના પરિવાર અને આરોપી સંદીપ વચ્ચે સમયાંતરે વાતચીત થઈ હતી. પીડિતા ના ભાઈ તરફથી આરોપી સંદીપ ને કોલ કરવામાં આવ્યો હતો.
યોગી સરકારે નીમેલી SIT ની તપાસ પણ અંતિમ તબક્કામાં
દરમિયાન વિશેષ તપાસ ટીમ SIT ની તપાસ પણ અંતિમ તબક્કામાં છે. SIT બુધવારે પોતાનો અહેવાલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સુપરત કરી શકે છે. ગૃહ સચિવ ભગવાન સ્વરૂપની આગેવાની હેઠળ DIG ચંદ્ર પ્રકાશ અને એસપી પૂનમ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી છે.
નોંધનીય છે કે SIT એ ગયા અઠવાડિયે તપાસ શરૂ કરી હતી અને કહ્યું હતું કે તે સાત દિવસમાં રિપોર્ટ રજૂ કરશે. ચાંદપા ગામમાં SIT ની ટીમ પણ પહોંચી હતી. SIT એ પણ પીડિત પરિવારના નિવેદન લીધા હતા.
શું છે આખો મામલો ?
હકીકતમાં, હાથરસ ના દલિત પરિવારની દીકરી પર 14 સપ્ટેમ્બરના રોજ હાથરસ માં સામૂહિક દુષ્કર્મ થયું હતું. આરોપ છે કે તે લોકોએ મહિલાની જીભ કાપી નાખી હતી અને તેની કરોડરજ્જુ પણ તૂટી ગઈ હતી. આ કિશોરીને અલીગઢની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. બાદમાં તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સંદીપ નામનો વ્યક્તિ શામેલ છે. જો કે પીડિતા ના રાત્રે અગ્નિસંસ્કાર કરવા પર વહીવટી તંત્ર અને સરકારની માથે માછલાં ધોવાય હતા. સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી દલિત યુવતીના પિતા, ભાઇ, કાકા કે અન્ય કોઈ સગા, બધા પોલીસ પર બળજબરીથી અંતિમ સંસ્કાર કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
યોગી સરકારે આ સમગ્ર કેસમાં બેદરકારીને કારણે હાથરસ ના DSP અને SP ને સસ્પેન્ડ કરી દીધા છે અને આ સાથે જ આ કેસમાં CBI તપાસ માટેની ભલામણ પણ કરી નાખવામાં આવી છે.