શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી આપણા દેશના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય નેતા છે. પુણેમાં એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું કે પીએમ મોદી માટે મારા હૃદયમાં ખુબ જ માન છે. મહારાષ્ટ્ર સરકાર વિશે તેઓએ સ્પષ્ટતા કરી છે કે શરદ પવારની પાસે ઉદ્ધવ ઠાકરે સરકારનું રિમોટ કંટ્રોલ નથી.
સંજય રાઉતે કહ્યું કે, PM મોદી આપણા દેશના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય નેતા
PM મોદી માટે મારા હૃદયમાં ખુબ જ માન છે : સંજય રાઉત
શરદ પવારની પાસે મહાવિકાસ અઘાડીનું રિમોટ કંટ્રોલ નથી
પૂણેમાં એક કાર્યક્રમમાં સંજય રાઉતે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી આપણા દેશના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય નેતા છે. તેમના માટે મારા હૃદયમાં ખુબજ માન છે. તેઓએ કહ્યું, હું હજુ સુધી આ સરકારનો ભાગ નથી, આ પ્રકારે હું પણ વિપક્ષની જેમ છું.'
સંજય રાઉતે સાથે એમ પણ કહ્યું કે, શરદ પવારની પાસે મહાવિકાસ અઘાડી (ઉદ્ધવ ઠાકરે સરકાર) નું રિમોટ કંટ્રોલ નથી.
આ ઉપરાંત તેઓએ કહ્યું કે, જો બીજેપી મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ પોતાનું વચન નિભાવતી તો મહારાષ્ટ્રની તસવીર અલગ હોત.