મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી નવનિર્વાચિત મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મિઠાઈ ખવડાવતા, બુકે ભેટ કરતી તસ્વીરો સામે આવતા એનસીપી પ્રમુખ શરદ પવારે શનિવારે કટાક્ષ કર્યો હતો. તેમણે રાજ્યપાલના જનપ્રતિનિધિઓ સાથે વ્યવહારમાં ગુણાત્મક ફેરફાર જોવા મળી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, હું કેટલાય શપથગ્રહણ સમારંભમાં ભાગ લઈ રહ્યો છું. પણ મને ક્યારેય કોઈ ગવર્નરે મિઠાઈ ખવડાવી નથી, કે નથી બુકે આપ્યું. એનસીપી અધ્યક્ષ શરદ પવારે પુણેમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા છે, તે દરમિયાન તેમણે આ વાત કહી હતી.
શરદ પવારે કર્યો કટાક્ષ
એનસીપી પ્રમુખે કહ્યું કે, હું એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના શપથગ્રહણ સમારંભને ટીવી પર જોયો. રાજ્યપાલ ત્યાં પૈંડા ખવડાવી રહ્યા હતા. બુકે આપી રહ્યા હતા. એવું લાગે છે કે, તેમનામાં કંઈક ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. વર્ષ 2019માં મહાવિકાસ અઘાડીના નેતાઓના શપથગ્રહણ સમારંભને યાદ કરતા શરદ પવારે કહ્યું કે, હું પણ ત્યાં હાજર હતો. ત્યારે રાજ્યપાલે કોશ્યારીએ અમુક ભાવિ મંત્રીઓ દ્વારા અમુક હસ્તીઓના નામને લઈને શપથ લેવા પર વાંધો ઉઠાવ્યો હતો. ત્યાં સુધી કે તેમણે તે સમયે મને જોઈને ફક્ત ડ્રાફ્ટ અંતર્ગત જ શપથ લેવા કહ્યું હતું.
રાજ્યપાલની કાર્યશૈલી પર સવાલો ઉભા કર્યા
શરદ પવારે કહ્યું કે, એકનાથ શિંદેએ પોતાના શપથગ્રહણ સમારંભ દરમિયાન દિવંગત બાલાસાહેબ ઠાકરે અને દિવંગત આનંદ દિધેનો ઉલ્લેખ કર્યો, પણ કોશ્યારીએ તે સમયે કોઈ વાંધો ઉઠાવ્યો નહીં. મહારાષ્ટ્રના આ વરિષ્ઠ નેતાએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને તેના કાર્યાલયને રાજ્ય સરકારથી સંબંધ પર આકરી ટિપ્પણીઓ કરી હતી. એનસીપી પ્રમુખે કહ્યું કે, મંત્રીમંડળનો નિર્ણય હંમેશા રાજ્યપાલને બાધ્યકારી હોય છે. એમવીએ સરકારે રાજ્યપાલ કોટામાંથી વિધાન પરિષદમાં નામિત કરવામાં આવેલા 12 લોકોની યાદી આપી હતી, જેને ક્યારેય મંજૂરી કરી નહીં. એવું કહેવામાં આવ્યું કે, રાજ્યમાં બેનલી નવી સરકાર સાથે જલ્દી નિર્ણય લેશે.
રાજ્યપાલનો વ્યવહાર તટસ્થ હોવો જોઈએ
એનસીપી ચીફે કહ્યું કે, આ સ્પષ્ટ રીતે પદભાર ગ્રહણ કરતી વખતે તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણય વિપરીત હતા. રાજ્યપાલે અલગ અલગ પૃષ્ઠભૂમિના લોકો સાથે વ્યવહાર કરવામાં તટસ્થ હોવાનું જોઈએ. આપને જણાવી દઈએ કે, 30 જૂને શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે પણ શપથ લીધા હતા.