સુરતમાં જૈન મુનિ શાંતિસાગર સામે દુષ્કર્મની ફરિયાદ થઈ છે. દુષ્કર્મ ફરિયાદ મામલે પોલીસે જૈન મુનિ શાંતિસાગરની ધરપકડ થઈ છે. આ મામલે આજે એડિશનલ સેશન્સ કોર્ટમાં તબીબની જુબાની લેવાઇ હતી જોઇએ સમગ્ર અહેવાલ.
આજે કોર્ટમાં જૈન મુનિ અને યુવતીની સારવાર કરનાર તબીબની જુબાની લેવામાં આવી હતી. આ દરમિયાન ફરિયાદ પક્ષ અને સરકારી વકીલ દિગંત તિવારએ દલિલ કરી હતી. મહત્વનુ છે કે, વડોદરાની યુવતી સાથે જૈન મુનિએ દુષ્કર્મ આચર્યુ હતુ.
આ મામલે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે જૈન મુનિ શાંતિસાગરની ધરપકડ કરી હતી. હાલમાં જૈન મુનિ શાંતિસાગર સુરતની લાજપોર જેલમાં બંધ છે. દુષ્કર્મના કેસ મામલે વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરાશે.
મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશની યુવતી પર દુષ્કર્મ આચરવાના ગુનાસર જૈન આચાર્ય સામે થયેલી પોલીસ ફરિયાદ બાદ હાલ જૈન આચાર્ય પોલીસ કસ્ટડીમાં છે અને તેના સુરતની સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ કરવામાં પણ આવ્યા હતા. સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં જૈન આચાર્ય સામે થયેલી ફરિયાદમાં ૩૭૬ (ર)/એફની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આ કલમમાં યુવતીનો વિશ્વાસ જીતી ત્યાર બાદ વિશ્વાસઘાત કરી તેનું શારીરિક શોષણ કરવાનો અપરાધ બને છે.