શનિવારે શનિ દેવને પ્રસન્ન કરવા માટે ઉપાય કરવામાં આવે છે. આજના દિવસે કરવામાં આવેલા ઉપાયોથી શનિ દોષ અને સાડાસાતીનો પ્રભાવ ઓછો થાય છે.
શનિવારે પીપળાના ઝાડની કરો પૂજા
જલ્દી પ્રસન્ન થાય છે શનિ દેવ
આ ઉપાયો કરવાથી શનિ દોષ અને સાડાસાતીનો પ્રભાવ ઘટે છે
શનિ દેવને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય
શનિવાર શનિ મહારાજનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે શનિ દેવને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે અલગ-અલગ ઉપાય કરવામાં આવે છે. શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે. જ્યારે તુલા રાશિ શનિની ઉચ્ચ રાશિ છે. તો મેષ રાશિ શનિની નીચ રાશિ માનવામાં આવે છે. જ્યોતિષમાં શનિ ગ્રહને એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, જે પીડિત થવાથી નકારાત્મક ફળ આપે છે. તો વ્યક્તિનો શનિ ઉચ્ચ હોય તો શનિ તેને રંકમાંથી રાજા બનાવી શકે છે. કુંડળીમાં શનિ દોષ હોય તો આજે કરવામાં આવેલા ઉપાયોથી મુક્તિ મળે છે.
સાડાસાતીનો પ્રભાવ ઘટાડે છે આ વસ્તુઓ
શનિવારે પીપળાના વૃક્ષની પૂજા અવશ્ય કરો. પીપળાના વૃક્ષમાં બધા દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. શનિવારે સૂર્યોદય બાદ પીપળાના વૃક્ષની પૂજા કરવી, જળ અર્પણ કરવુ અને તેના પર તેલનો દીવો પ્રગટાવવાથી શનિ દેવની કૃપા થાય છે. પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે. માનવામાં આવે છે કે તેનાથી સાડાસાતીનો પ્રભાવ પણ ઓછો થાય છે.
મંત્રોથી પ્રસન્ન થાય છે શનિદેવ
શનિવારે કાળા તલનુ દાન જરૂર કરવુ જોઈએ. આમ કરવાથી શનિ દેવની કૃપા હંમેશા રહે છે અને રાહુ-કેતુના દોષ પણ શાંત થાય છે. શનિ દેવની કૃપા મેળવવા અને કુંડળીથી સાડાસાતીના પ્રભાવને ઘટાડવા માટે શનિવારનો દિવસ ઉત્તમ હોય છે. આ દિવસે શનિદેવના મંત્રોનો જાપ કરવો અને શિવ ચાલીસાનો પાઠ કરવાથી શનિ દેવ જલ્દી પ્રસન્ન થાય છે. શનિ મંદિર જઇને શનિ ચાલીસા અને આરતી કરવાથી પણ તેમની કૃપા પ્રાપ્ત થાય છે.