બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / ગુજરાત / Shaktisinh Gohil made a representation to the CM and demanded to pay the cyclone relief
Kishor
Last Updated: 07:23 PM, 24 July 2023
તાજેતરમાં ગુજરાત પર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાએ ઠેર ઠેર વિનાશ વેર્યો હતો. વાવાઝોડાની થપાટે અનેક મકાનો જમીનદોસ્ત થયા હતા. આ ઉપરાંત વાવાઝોડાની અસરને લઈને ખાબકેલા વરસાદથી પણ અનેક પાકોને નુકસાન થયું હતું. ત્યારે આ અંગે સરકાર દ્વારા સહાય પણ જાહેર કરાઈ છે. જોકે આ સહાય અપૂરતી હોય તથા હજુસુધી મળી ન હોવાની લોકોમાંથી રાવ ઉઠી રહી છે. ત્યારે આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.
ગુજરાતમાં અતિવૃષ્ટિના પ્રકોપના કારણે કલ્પના પણ ના થઇ શકે તેવું નુકશાન થયેલ છે. લોકોને જે પારાવાર નુકશાન થયેલ છે અને ભયંકર હાડમારી બહુ લોકો ભોગવી રહ્યા છે ત્યારે લોકોને સમયસર મદદ પહોચી શકે તે માટે મુખ્યમંત્રીશ્રી (ગુ.રા.)ને રજૂઆત કરું છું.
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) July 24, 2023
• જેમને પણ કોઈ પ્રકારનું નુકશાન થયેલ… pic.twitter.com/v44BRb6u2P
સહાય ખૂબ જ ઓછી હોવાનો પણ લોકોમાંથી ગણગણાટ
બિપોરજોય વાવાઝોડા અંગે નિવેદન આપતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. અસરગ્રસ્ત લોકોને વાવાઝોડાથી નુકાસની અંગેની સહાય હજુ સુધી ન મળતા લોકોને પડ્યા પર પાટુ સમાન સાબિત થઈ રહ્યું છે. બીજી બાજુ જે નુકસાન થયું છે. તેના બદલામા સહાય ખૂબ જ ઓછી હોવાનો પણ લોકોમાંથી ગણગણાટ ઉપડ્યો છે.
ગુજરાતમાં અતિવૃષ્ટિના પ્રકોપના કારણે કલ્પના પણ ના થઇ શકે તેવું નુકશાન થયેલ છે. લોકોને જે પારાવાર નુકશાન થયેલ છે અને ભયંકર હાડમારી બહુ લોકો ભોગવી રહ્યા છે ત્યારે લોકોને સમયસર મદદ પહોચી શકે તે માટે મુખ્યમંત્રી (ગુ.રા.)ને પત્ર લખી નીચે મુજબના સુચન કરું છું. 👇
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) July 24, 2023
ઉપરાંત લોકોને મદદરૂપ… pic.twitter.com/WACK66gcqg
કોંગ્રેસના કાર્યકર્તા લોકોને કોઈપણ જાતની અપેક્ષા વગર સેવા પૂરી પાડશે
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆતમાં જણાવ્યું હતું કે જેમને પણ કોઈ પ્રકારનું નુકસાન થયેલ હોય તેઓ ફોટો કે વીડિયો લઇ અને સરકારને મોકલી આપે તો તે સચોટ પુરાવો છે. આ ફોટા કે વીડિયોનાં આધારે સત્વરે રાહત પહોચાડવાની કાર્યવાહી શરુ કરવી જોઈએ. લોકો પોતાની વિગતો ભરીને સરકારને કોઈ સાઈટ ઉપર અથવા વોટ્સએપથી મોકલી શકે તેવી ગોઠવણ સત્વરે કરાવાની પણ માંગ ઉઠાવી છે. લોકોને પોતાને થયેલ નુકશાન અંગેના ફોટા કે વીડિયો અને વિગતો સરકારને મોકલવામાં અડચણ પડે અને સરકારી તંત્ર સહાયતામાં ન પહોંચી શકે તેમ હોય તો અમને જણાવવા વિનંતી કે જેથી કોંગ્રેસ પક્ષના સોશિયલ મીડિયાની ટીમ તથા કોંગ્રેસના કાર્યકર્તા લોકોને કોઈપણ જાતની અપેક્ષા વગર સેવા પૂરી પાડશે. તેમ પણ રજુઆતમાં ઉલ્લેખ કરાયો છે.
વધુમાં ઝડપથી સહાય મળે, ભષ્ટ્રાચાર કે ખોટું પણ નાં થાય તે માટે બદલાયેલ સંજોગોને ધ્યાને લઈને સર્વે કરવા સરકારી તંત્રની માનવશક્તિનો વ્યર્થ વ્યય કરવાના બદલે લોકો પોતે જ ફોટા કે વીડિયો પોતાની વિગત સાથે પુરાવા મોકલે તે આવકારદાયક રહેશે. તેમ રજૂઆતના અંતમાં કહ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army