ગણતંત્ર દિવસની ધૂમ દિલ્હીના શાહીન બાગમાં પણ જોવા મળી રહી છે. શાહીન બાગમાં તિરંગો ફરકાવવામાં આવ્યો છે. હજારો લોકો દ્વારા એક સાથે રાષ્ટ્રગીત જન-ગણ-મન ગાવામાં આવ્યું. અહીં તિરંગો શાહીન બાગમાં એ જગ્યાએ ફરકાવવામાં આવ્યો છે, જ્યાં છેલ્લા દોઢ મહીનાથી નાગરિકતા સંશોધન કાયદો (CAA)ની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન શાહીન બાગમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા.
ગણતંત્ર દિવસની ધૂમ દિલ્હીના શાહીન બાગમાં પણ જોવા મળી રહી છે
26 જાન્યુઆરીએ આ વિરોધ પ્રદર્શનને 43 દિવસ પૂર્ણ થશે
શાહીન બાગમાં સવારે 9.30 વાગ્યે લગભગ મોટી સંખ્યામાં લોકોએ એક સાથે જન ગણ મન ગાયું. પ્રદર્શન દરમિયાન હજારો લોકો દ્વારા એક સાથે રાષ્ટ્રગીત જન-ગણ-મન ગાઇને વિશ્વના કોઇપણ રાષ્ટ્રગાનને એક સાથે ગાવાના રેકોર્ડને તોડવાની વાત કહેવામાં આવી.
પ્રદર્શનકારીઓએ તેના માટે વિશેષ તૈયારી કરી. લગભગ 80 ફૂટ ઉંચાઇ પર 45 ફુટ લાંબો તિરંગો ફરકાવવા માટે દબંગ દાદીમાં સામે આવ્યા હતા. એમ પણ બતાવાઇ રહ્યું છે કે, શાહીન બાગમાં પ્રદર્શનને પગલે બંધ રસ્તાને ખોલાવવા માટે સ્થાનીય લોકો બે ફેબ્રુઆરીએ રસ્તાઓ પર પગપાળા માર્ચ કરશે. શાહીન બાગમાં JNUથી ગુમ વિદ્યાર્થી નજીબ અહમદની માતા અને રોહિત વેમુલાની માતાએ પણ તિરંગો ફરકાવ્યો.
શાહીન બાગમાં લગભગ એક મહીનાથી વધારે દિવસોથી મહિલાઓ પ્રદર્શન કરી રહ્યા છે. આ મહિલાઓએ CAA અને NRCને લઇને સરકારની વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો છે. પ્રદર્શન કરી રહેલી મહિલાઓએ સરકારને નાગરિકતા સંશોધન કાયદો (CAA)ને પાછો લેવાની માંગ કરી છે. નજીબની માતા અને રોહિત વેમૂલાની માતાએ મંચથી લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન પ્રદર્શનકારીઓ દ્વારા સાંસ્કૃત્તિક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યા.
આ દરમિયાન કેટલાક લોકો લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચતા જોવા મળ્યા, રસપ્રદ વાત છે કે, શાહીન બાગમાં જ પ્રદર્શન સ્થળની પાસે ફાતિમા શેખ અને જ્યોતિબા ફૂલેના નામથી લાઇબ્રેરી બનાવવામાં આવી છે.
આંદોલનકારીઓનું કહેવું છે કે, કોઇ એક વ્યક્તિને પ્રદર્શનના આયોજક ન કહેવો જોઇએ. અમે આવા કોઇપણ પ્રકારના નિવેદનથી પોતાને અલગ કરીએ છીએ. અમે ફરી કહીએ છીએ કે, શાહીન બાગમાં કોઇ આયોજન સમિતિ નથી.
Republic day celebrations at delhi #ShaheenBagh.
Dadis of Shaheen Bagh , Rohit Vemula and Junaid's mothers together hoisted the national flag in the presence of thousands of women’s. Hindustan zindabad. pic.twitter.com/CWwDJHEFNn
શાહીન બાગના લોકોએ કહ્યું છે કે, આ વિરોધ પ્રદર્શનનો કોઇ માસ્ટરમાઇન્ડ નથી. આ મહિલાઓ દ્વારા ચાલી રહેલું અહિંસક આંદોલન છે. પ્રદર્શનકારીઓ મહિલાઓનું કહેવું છે કે, જ્યા સુધી નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) પાછો નહીં લેવામાં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.
નોંધનીય છે કે, 26 જાન્યુઆરીએ આ વિરોધ પ્રદર્શનને 43 દિવસ પૂર્ણ થશે. આ 43 દિવસોમાં શાહીન બાગ (shaheen Bagh) માં રોજ લોકોએ મોટી સંખ્યામાં પહોંચીને આંદોલનમાં ભાગ લીધો.