મહેસાણાના વિસનગર ખાતે પૂર્વમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં સહકાર સંમેલન યોજાયું હતું. જેમાં મંત્રી ઋષિકેશ પટેલના પુત્ર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યાં હતાં.
શૈક્ષણિક સંસ્થાની જમીન ફાયદા માટે વેચી હોવાનો આક્ષેપ
સહકાર સંમેલનમાં ઠરાવ કરીને કામગીરી વખોડાઇ
મહેસાણાના વિસનગર ખાતે સહકાર સંમેલનનું આયોજન
પૂર્વમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં મહેસાણાના વિસનગર ખાતે સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રી ઋષિ કેશ પટેલના પુત્રએ કોલેજની જમીનને આર્થિક ફાયદના માટે સમારકામના બહાને બારોબાર વેચી દેવાના આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. આ સહકાર સંમેલનમાં ઠારવ કરીને આ કામગીરીને વખોડી કાઢવામાં આવી હતી.
સંમેલનમાં મંત્રી ઋષિકેશ પટેલના પુત્ર પર ગંભીર આક્ષેપ કરાયા
આ સંમેલનમાં રાજ્યમંત્રી ઋષિકેશ પટેલના પુત્ર ગંભીર આરોપો લગાવવામાં આવ્યાં હતાં. ઠરાવમાં જણાવ્યું હતું કે, વિસનગરની B.ed કોલેજની જમીનનને સમારકામના બહાને વેચી દેવામાં આવી છે. ઠરાવમાં આક્ષેપો કરવામાં આવ્યાં છે કે, કોલેજની જમીન મંત્રી ઋષિકેશ પટેલના પુત્રએ રૂ. 1.09 કરોડમાં ખરીદી હતી. જ્યારે મંત્રી ઋષિકેશ પટેલના પુત્રએ આ જમીન રૂ.26 કરોડમાં અન્યને વેચી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે,આ સંમેલનમાં ઠરાવ કરીને આ કામગીરીને વખોડવામાં આવી છે.