વિધાનસભા ગૃહમાં પહેલા દિવસથી શાસક પક્ષ હોય કે વિપક્ષ પક્ષ, રાજકીય ટીકા ટિપ્પણી કરવામાં કોઈ તક છોડવા તૈયાર નથી. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જવાબ આપવા ઉભા થયા ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ ગબ્બર આયા, ગબ્બર આયા તેવી હળવી બૂમો પાડી હતી.
આ બધું જોઈને અધ્યક્ષ રાજેનદ્ર ત્રિવેદીએ જ કહી દીધું કે, હવે જવાબ સાંભળજો ત્યારે..તે વખતે ધારાસભ્ય શૈલેશ પરમારે એવુ કહ્યું કે,'સાહેબ, આ તો બધા નીતિનભાઈને ગબ્બરસિંહ કહી રહ્યા છે ત્યારે ગૃહમાં હાસ્યનુ મોજુ ફરી વળ્યુ હતું.
મારા નામે ચલાવો નહીં, ભાજપમાં જન્મયો છું. ભાજપમાં જ મરીશ
ગૃહમાં તક મળતાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પહેલીવાર ફોડ પાડ્યો કે, કોંગ્રેસ વાળા તમે તમે મારા નામે ના ચલાવો, આ બધું. હું ભાજપમાં જન્મયો છુંને, ભાજપમાં જ મરીશ. આ તો ઉમિયાધામમાં જે કહ્યુ્ં તેનો મતલબ એ હતો કે, હું એકલો છુંને, સામે છેડે બધા છે. મારી ચિંતા ના કરો, તમારુ ઘર બચાવો. પોતાની નારાજગીનો વિપક્ષ રાજકીય રીતે ઉપયોગ કરે છે તેમ કહી નીતિન પટેલે બચાવ કર્યો હતો.
વિધાનસભામાં આવી ઘણી ટીકાઓ અને તેના જવાબમાં જોરદાર કટાક્ષ જોવા મળ્યા હતા. આવા હાલમાં ગૃહમાં મધ્યપ્રદેશની રાજકીય ઉથલ પુથલનો મુદ્દો મુકાયો હતો. ભાજપે કોંગ્રેસની ટીકા કરવાની એક પણ તક છોડી ન હતી.