SC/ST એક્ટ અંગેના પોતાના જ અગાઉના ચુકાદાને સુપ્રીમ કોર્ટે ફેરવી તોળ્યો છે. અગાઉના ચુકાદામાં આંશિક પરિવર્તન સાથે નવી જોગવાઈ આપી છે. કેન્દ્ર સરકારની ફેરવિચારણાની અરજીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારની અરજીને માન્ય રાખીને લીધો નિર્ણય
જાણો શું હતી જોગવાઈ
સુપ્રીમે શું કર્યો સુધારો
SCએ 20 માર્ચ 2018ના આપ્યો હતો ચૂકાદો આપ્યો હતો. SC/ST કેસમાં તરત સંબંધિત વ્યક્તિની ધરપકડ કરવી અને એને આગોતરા જામીન ન આપવા. અગાઉ સુપ્રીમ કોર્ટે આ બંને જોગવાઇ પર સ્ટે આપ્યો હતો. આજે સવારે સુપ્રીમ કોર્ટે એ સ્ટે ઊઠાવી લીધો હતો. એટલે હવે SC/ST કેસમાં પણ સંબધીત વ્યક્તિની ધરપકડ કરી શકાશે.
કેન્દ્ર સરકારની અરજીને માન્ય રાખીને લીધો નિર્ણય
ગયા વરસે સુપ્રીમે જ આ સ્ટે આપ્યો હતો. આજે એ સ્ટે રદ કર્યો હતો. ગયા વરસે સુપ્રીમ કોર્ટે આ સ્ટે આપ્યો ત્યારે કેન્દ્ર સરકારે એ નિર્ણય બદલવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.
સુપ્રીમે શું આપ્યુ કારણ
આ સ્ટે આપતી વખતે સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે તરત ધરપકડની જોગવાઇથી નિર્દોષ વ્યક્તિ પણ SC/STની ખોટી ફરિયાદનો ભોગ બની શકે છે. ખાસ કરીને સરકારી કર્મચારીની ધરપકડ પહેલાં સંબંધિત ખાતાના વડાની પરવાનગી લેવાની જોગવાઇ સુપ્રીમ કોર્ટે સૂચવી હતી.
કેન્દ્રસરકારે શું કરી હતી અરજી
કેન્દ્ર સરકારે આ નિર્ણયનો પુનઃવિચાર કરવાની અરજી કોર્ટમાં દાખલ કરી હતી. આજે એ અરજીની સુનાવણીમાં કોર્ટે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને ગયા વર્ષના માર્ચની 20મીએ ત્રણ જજોની બેન્ચે આપેલો ચુકાદો રદ કર્યો હતો.
શું હતો કાયદો
આ કાયદા હેઠળ કેસ દાખલ થાય તો સાત દિવસની અંદર શરૂઆતી તપાસ પૂરી કરી લેવી. પ્રારંભિક તપાસ પૂરી થઈ જાય તો આરોપીની ધરપકડ જરૂરી નથી.
જો આરોપી સરકારી કર્મચારી હોય તો તેની ધરપકડ કરવા માટે નિયુક્તિ અધિકારીની સહમતી લેવી. SC/ST એક્ટની કલમ પ્રમાણે આગોતરા જામીન ન મળી શકે પણ સુપ્રીમે આગોતરા જામીન માગવાની છૂટ આપી છે.
સુપ્રીમે હવે શું સુધારો કર્યો
સુપ્રીમે સાત દિવસની અંદર તપાસ પૂરી કરવાની વાત કાઢી નાંખી વળી કર્મચારીની ધરપકડ માટે તેના ઉપરની પૂર્વાનુમતી લેવાની વાત પણ કાઢી નાંખી.
એટલે હવે તુરંત જ ધરપકડ પણ થઈ શકશે અને ફરિયાદ પણ થઈ શકશે.