સુરેન્દ્રનગરમાં સાયલા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પર ગઈ કાલે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ગંભીર ઈજાગ્રસ્ત ખેંગારભાઈ રબારીનું સારવાર દરમિયાન મોત મૃત્યું નિપજ્યું છે
સાયલા ભાજપ કિસાન મોરચાના પ્રમુખનું મૃત્યુ
સુદામડા ગામમાં ખેંગાર રબારી પર થયો હતો હુમલો
અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા
સુરેન્દ્રનગરમાં સાયલા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનું સારવાર દરમિયાન મોત મૃત્યું નિપજ્યું છે. ખેંગારભાઈ રબારી પર ગઈ કાલે કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો, અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જે બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. જો કે તેમનું આજે સારવાર દરમિયાન મોત થતા સમગ્ર વિસ્તારમાં ગમગીન અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
સાયલા ભાજપ કિસાન મોરચાના પ્રમુખનું મૃત્યુ
સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, ખેંગારભાઈ રબારી પર અગાઉની ચૂંટણીની અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. અજાણ્યા શખ્સોએ તેમના ઉપર એકબાદ એક તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા, તો 15થી વધુ શખ્સોના ટોળાએ ૩થી 4 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું જ્યારે હુમલા બાદ શખ્સો દાગીના અને રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા. જોકે ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હુમલાની ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.