Saturday Remedies: ઘણી વખત જાણે-અજાણે ભુલો થઈ જાય છે જેના કારણે શનિદેવ નારાજ થઈ જાય છે. એવા કયા 7 કામ છે તેને ભુલથી પણ ન કરવા જોઈએ આવો જાણીએ.
શનિવારના દિવસે ન કરો આ 7 કામ
નહીં તો શનિદેવ થઈ જશે નારાજ
નહીં બચી શકો શનિના કોપથી
શનિદેવને સમર્પિત શનિવારનો દિવસ ઘણી રીતે ખાસ હોય છે. આ દિવસે જે પણ મનુષ્ય શનિદેવની પૂજા સાચ્ચા મન અને સંપૂર્ણ વિધિ વિધાનથી કરે છે તેમની તકલીફ અને કષ્ટ સૂર્ય પૂત્ર દૂર કરે છે. દરેક મનુષ્યની ઈચ્છા હોય છે કે તે જ્યા સુધી આ સંસારમાં રહે શનિની કુદષ્ટિ તેના પર ક્યારેય ન પડે. પરંતુ આમ થતું નથી.
દરેક મનુષ્યના જીવનમાં ક્યારેકને ક્યારેક તો શનિની કુદષ્ટિ પડે છે. શનિદેવ એવા દેવ છે જેમની કૃપા જો કોઈના પર થાય તો તેના કિસ્મતના દરવાજા ખુલી જાય છે અને જો બગડે તો તે એક એક રૂપિયા માટે તરસે છે. ઘણી વખત જાણે અજાણે એવી ભુલો થઈ જાય છે જેના કારણે શનિદેવ નારાજ થઈ જાય છે. એવા કયા સાત કોમ છે જેને ભુલથી પણ ન કરવા જોઈએ આવો જાણીએ.
શનિવારે ન કરો આ 7 કામ
શનિવારના દિવસે મીઠુ, સરસવનું તેલ અને લોખંડની વસ્તુઓ ભુલથી પણ ન ખરીદવી જોઈએ. એવું કરવાથી મનુષ્યની પાસે પૈસાની તંગી થાય છે અને તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. માટે આવું ક્યારેય ન કરો.
શનિવારે જૂતા-ચંપલ ખરીદવાની મનાઈ હોય છે. જે લોકો આ દિવસે ફૂટવેર ખરીદે છે તેમને શનિ દોષ લાગે છે અને જીવનમાં મુશ્કેલીઓ આવે છે. શનિવારે ચંપલ-જૂતા ખરીદવાની જગ્યા પર કાળા જૂતા-ચંપલને દાન કરવું સારૂ માનવામાં આવે છે.
શનિદેવ ન્યાય અને ગરીબોના દેવતા છે. માટે શનિવારે ભુલથી પણ ગરીબો અને શ્રમિકોને હેરાન ન કરો અને તેમને અપશબ્દો ન બોલો. કહેવાય છે કે તેનાથી શનિદેવની કુદ્રષ્ટિ તમારા પર પડે છે.
શનિવારના દિવસે વાળ અને નખ ન કપાવો. આમ કરવાથી શનિદોષ લાગે છે. માટે શનિવારે દાઢી વધારવી અને વાળ કપાવવા જેવા કામ ન કરાવવા જોઈએ.
શનિવારે જ્યારે પણ મંદિર જાઓ તો શનિદેવની આંખોમાં ભુલથી પણ ન જુઓ અને તેમની સામે ઉભા પણ ન રહો. માનવામાં આવે છે કે જે લોકો શનિદેવની આંખોમાં જુએ છે તેમનાથી તે નારાજ થઈ જાય છે.
શનિવારના દિવસે દારૂ અને માંસને હાથ પણ ન લગાવવું જોઈએ. આ તામસિક વસ્તુઓનું સેવન કરવાથી શનિનો પ્રકોપ તમારા પર થાય છે. સાથે જ એવા લોકો પર શનિ ગ્રહનો અશુભ પ્રભાવ પડે છે.
શનિદેવના ક્રોધથી બચવું છે તો શનિવારના દિવસે ભુલથી પણ કાળા તળ ન ખાવા અને ખરીદવા. શનિદેવને કાળ કલ ખૂબ જ પસંદ છે માટે આ દિવેસ ફક્ત તેને દાન કરવું જ સારૂ માનવામાં આવે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)