સામંથા રૂથ અને નાગા ચૈતન્યાએ થોડો સમય એકબીજાને ડેટ કર્યા બાદ એક ડ્રીમી સેલિબ્રેશનમાં લગ્ન કર્યા હતા. બંને અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. તેમની જોડીને પ્રશંસકો પણ ખૂબ પસંદ કરે છે. ઓહ બેબી, મજિલી અને યે માયા ચેસાવે જેવી હિટ ફિલ્મો બંનેએ આપી છે.
છૂટાછેડાના એક વર્ષ બાદ ફરી સાથે જોવા મળશે સામંથા-નાગા ચૈતન્યા
અભિનેત્રીએ હાલમાં પોતાની બિમારી અંગે ચાહકોને જણાવ્યું
બંને એકસાથે પ્રોજેક્ટ કરતા પણ દેખાઈ શકે
અભિનેત્રી સામંથા રૂથ એક બિમારીથી છે પીડિત
છેલ્લાં થોડા દિવસથી સાઉથની સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુ ચર્ચામાં રહી છે. જ્યારથી અભિનેત્રીએ પોતાની ઑટો-ઈમ્યુન બિમારી માયોસિટિસ અંગે ચાહકોને જણાવ્યું છે, ત્યારથી બધા તેની ખૂબ ચિંતા કરી રહ્યાં છે. અભિનેત્રીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતુ કે આ બિમારીને જેટલો સારો થવામાં સમય લાગે છે, તેનાથી વધુ લાગી રહ્યું છે. રિપોર્ટસ મુજબ, જ્યારે સામંથાએ આ પોસ્ટ શેર કરી તો તેનો પૂર્વ પતિ નાગા ચૈતન્યા અને તેના પિતા નાગાર્જુને તેમની મુલાકાત કરવાનો પ્લાન બનાવ્યો. જો કે, હજી સુધી કોઈ જાણકારી મળી નથી કે બંને સામંથાને મળ્યાં કે નહીં. આ કન્ફર્મ છે કે નાગા ચૈતન્યાએ સામંથાને ફોન કરીને તેના ખબર-અંતર અવશ્ય પૂછ્યા છે.
બોલીવુડ લાઈફના રિપોર્ટસ મુજબ, સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યા બંને છૂટાછેડા બાદ એકબીજા સાથે પ્રોફેશનલી વર્તન રાખી રહ્યાં છે. કહેવાઈ રહ્યું છે કે બંને એકસાથે પ્રોજેક્ટ કરતા પણ દેખાઈ શકે છે. એટલેકે પ્રશંસકો એક વખત ફરીથી બંનેની જોડીને મોટા પડદા પર જોઇ શકશે. સૂત્રએ જાણકારી આપતા કહ્યું, બંને આ વાત સારી રીતે જાણે છે કે બંનેની જોડી પ્રશંસકોની વચ્ચે કેટલી હિટ રહી છે. જે રીતે નાગા ચૈતન્યાએ સામંથા પ્રત્યે ચિંતા બતાવી છે, તેના પરથી સ્પષ્ટ જાહેર થાય છે કે આજે પણ છૂટાછેડા બાદ બંને એકબીજાના સારા મિત્રો છે. બંને એક એવી જગ્યા પર ઉભા છે, જ્યાં તેઓ કોઈ પણ પ્રકારની દુશ્મની રાખતા નથી. બંને પ્રોફેશનલી એકબીજા સાથે કામ કરવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યાએ થોડો સમય એકબીજાને ડેટ કર્યા બાદ એક ડ્રીમી સેલિબ્રેશનમાં લગ્ન કર્યા હતા. બંને ઘણી ફિલ્મોમાં એકસાથે જોવા મળ્યાં છે.