સાઉથ સિનેમાની ટેલેન્ટેડ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ કે જેના દિવાના આખા ભારતમાં લોકો છે તેનું લગ્નજીવન ભંગાણના આરે છે?
સામંથા-નાગા ચૈતન્યના લગ્ન
મહત્વનું છે કે સામંથાએ નાગાર્જુનના મોટા દિકરા નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા છે. અત્યાર સુધી રિલેશનશીપ ગોલ્સ આપતા આ કપલના જીવનમાં એવું તો શું થયું કે ડિવોર્સની ચર્ચા થવા લાગી?
ટ્વિટર પરથી હટાવી સરનેમ
સામંથાનું આખુ નામ સામંથા રૂથ પ્રભુ છે, ઇન્સ્ટા પર તેણે આજ નામ રાખ્યુ હતુ પરંતુ ટ્વિટર પર તેણે પતિની સરનેમ લગાવીને સામંથા અક્કીનેની લખ્યું હતું. થોડા દિવસ પહેલા તેણે અકાઉન્ટમાંથી અક્કીનેની સરનેમ હટાવી લીધી હતી. જેથી લોકોએ અંદાજો લગાવ્યો કે બંને વચ્ચે કંઇ ઠીક ચાલી રહ્યું નથી.
અલગ રહે છે કપલ
રિપોર્ટનું જો માનીએ તો સામંથા અને નાગા ચૈતન્ય એકબીજા સાથે વાત નથી કરતા અને અલગ રહે છે. જ્યારથી સરનેમ હટાવી છે ત્યારથી લોકો વચ્ચે કપલ ચર્ચાનો વિષય રહ્યું છે.
સામંથાએ શું આપ્યો જવાબ
એક ઇન્ટરવ્યૂંમાં જ્યારે સામંથાને આ પૂછવામાં આવ્યું ત્યારે સામંથાએ કહ્યું કે, હું આ વસ્તુઓ પર રિએક્ટ કરવા માગતી ની. મને કોન્ટ્રોવર્સી પસંદ નથી. જે રીતે બાકી લોકોને પોતાનો ઓપીનીયન રાખવાનો અધિકાર છે મને પણ તે હક છે.
સસરાની બર્થ ડે પાર્ટીમાં ગેરહાજર
29 ઓગસ્ટે સામંથા પોતાના સસરા નાગાર્જુનના બર્થ ડે પર સોશ્યલ મીડિયા પર તેને વિશ કર્યુ હતુ પરંતુ તેની પાર્ટીમાં હાજર નહોતી, જેના કારણે લોકોનું ધ્યાન ખેંચાયું હતુ.