બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / sachin tendulkar behind sacking rohit sharma mi captain

ક્રિકેટ / 'રોહિત શર્માને MI કેપ્ટન પદેથી હટાવવામાં સચિન તેંડુલકરનો હાથ' ! મોટા દાવાથી ખળખળાટ

Hiralal

Last Updated: 04:53 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક યૂઝરે એવો દાવો કર્યો છે કે રોહિત શર્માને MI કેપ્ટન પદેથી હટાવવામાં સચિન તેંડુલકરનો હાથ છે.

રોહિત શર્માને મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન પદેથી હટાવવાનો મામલો હજુ પણ ગરમ છે. આ ક્રમમાં વધુ એક ચોંકાવનારો આરોપ લાગ્યો છે. મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા છે કે, રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીમાંથી દૂર કરવા પાછળ સચિન તેંડુલકરનો હાથ હોઈ શકે છે. આની પાછળ અનેક પ્રકારની દલીલો કરવામાં આવી રહી છે.

યૂઝર્સે શું કર્યો દાવો 
સોશિયલ મીડિયા પર એક ચાહકે એક્સ પર લખ્યું, "સચિન અને રોહિત વચ્ચે છેલ્લા બે વર્ષથી બધું બરાબર ચાલી રહ્યું નથી, કદાચ આવું થઈ રહ્યું છે કારણ કે તેના પુત્ર અર્જુનને મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં વધુ તકો મળી રહી નથી. આઈપીએલ 2023 માં પણ, અર્જુનને 2 મેચ પછી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. સચિન તેંડુલકર છેલ્લા કેટલાક સમયથી રોહિત શર્મા સિવાય તમામ ખેલાડીઓના પ્રદર્શન પર પોસ્ટ કરી રહ્યો છે. વળી, માસ્ટર બ્લાસ્ટર રોહિતના જન્મદિવસે તે જાહેરમાં 'હિટમેન'ને અભિનંદન પણ આપ્યાં નહોતા. રોહિતે બાંગ્લાદેશ સામે અણનમ 51, વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 86, અફઘાનિસ્તાન સામે 133 અને ઈંગ્લેન્ડ સામે 87 રન ફટકાર્યા ત્યારે રોહિત માટે એક પણ સચિને ટ્વિટ કર્યું નહતુ, જ્યારે તે હંમેશા કોહલી અને ગિલ માટે ટ્વિટ કરતો રહે છે.

સચિન અને અર્જુન બંને રોહિતને ફોલો નથી કરતા
યુઝરે વધુમાં જણાવ્યું કે, જ્યારે સુરેશ રૈના, યુસુફ પઠાણ, વિરાટ કોહલી, શુભમન ગિલ, ઇશાન કિશન, એમએસ ધોની, હરભજન સિંહ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજનો જન્મદિવસ હતો, ત્યારે સચિને તેમને વિશ કર્યું હતું, પરંતુ રોહિતના જન્મદિવસ પર મેસેજ પણ નહોતો મોકલ્યો. સચિન વિરાટ કોહલી, ગિલ, ઈશાન કિશન, એમએસ ધોની, હરભજન સિંહ, રવિન્દ્ર જાડેજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે, પરંતુ રોહિતને નહીં.

તેંડુલકરે છેલ્લે એપ્રિલ 2022 રોહિત માટે પોસ્ટ કરી હતી 
આ યુઝરનો દાવો છે કે તેંડુલકરે છેલ્લે એપ્રિલ 2022 માં રોહિત માટે વ્યક્તિગત પોસ્ટ કરી હતી. આ સમયગાળામાં રોહિતે ભારત કે મુંબઈ ઈન્ડિયન્સ માટે કોઈ ટાઈટલ જીત્યું નથી. પરંતુ ભારતીય કેપ્ટન બેટથી શાનદાર ફોર્મમાં છે. 

યૂઝરના દાવામાં કેમ દમ? 
યુઝર્સના આ દાવાને ત્યારે વધુ મજબૂતી મળે છે જ્યારે અર્જુન તેંડુલકર ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક પંડ્યા અને ઇશાન કિશનને ફોલો કરે છે, પરંતુ રોહિત શર્મા નથી કરતો.

MIમાં 2013થી કેપ્ટન રહેલા રોહિતને હટાવાયો હતો 
ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડીયન્સે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. રોહિતને કેપ્ટનશિપમાંથી હટાવ્યા બાદ ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું કારણ કે 2013માં રિકી પોન્ટિંગને હટાવ્યા બાદથી તે ટીમનો કેપ્ટન રહ્યો હતો. રોહિતે કેપ્ટન્સી સંભાળતાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ ટાઈટલ જીત અપાવી હતી. આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નહતુ અને તેની કેપ્ટન્સી હેઠળ મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું હતુ. હવે હાર્દિક પંડયાની કેપ્ટન્સી હેઠળ રોહિત શર્મા કેવો દેખાવ કરે છે, તેના પર બધાની નજર રહેશે.

સચિન તેંડુલકર પણ MI સાથે જોડાયેલો છે 
'ગોડ ઓફ ક્રિકેટ' તરીકેની ઓળખ ધરાવતો સચિન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીના મેન્ટર છે. સચિનનો પુત્ર અર્જુન તેંડુલકર પણ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે, પરંતુ જ્યાં સુધી રોહિત ટીમનો કેપ્ટન હતો ત્યાં સુધી અર્જુનને પ્લેઇંગ-11માં વધારે તક આપવામાં આવી ન હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ