કીવમાં ભયંકર હુમલાની વચ્ચે રશિયાએ હવે બીજા મોટા શહેર ખારકીવમાં પણ ભયંકર તબાહી મચાવવાનું શરુ કર્યું છે.
રશિયાએ યુક્રેનના બીજા મોટા શહેર ખારકીવ પર કર્યો મિસાઈલ એટેક
મિસાઈલ એટેકમાં હોસ્પિટલમાં તબાહ
સેંકડો લોકોના મોતની શંકા
કીવ બાદ હવે રશિયાએ યુક્રેનના બીજા મોટા શહેર ખારકીવમાં મિસાઈલ એટેક કરીને હોસ્પિટલને તબાહ કરી નાખી હતી.મિસાઈલ એટેકમાં સેંકડો લોકો માર્યા ગયા હોવાની ખબર છે.
Eight dead in Russian airstrike on Kharkiv residential block: AFP News Agency#RussianUkrainianCrisis
રશિયાએ ખારકીવમાં રહેણાંક વિસ્તારમાં હુમલો કર્યો હતો જેમા 8 લોકોના મોત થયા હતા.
મિસાઈલ એટેક બાદ ખારકીવમાં કર્ફ્યુ
મિસાઈલ એટેક બાદ બીજા મોટા શહેર ખારકીવમાં કર્ફ્યુ લગાડી દેવાયો છે.
Russian forces have attacked a television tower in Ukraine's capital Kyiv, potentially disrupting its signal, Ukrainian Interior Ministry adviser Anton Herashchenko says: Reuters #RussianUkrainianCrisis
ખારકીવ યુક્રેનનુ બીજું મોટું શહેર
ખારકીવ યુક્રેનનું બીજું મોટુઁ શહેર છે. 1654માં સ્થાપિત ખારકીવ યુક્રેનનું પહેલું એવું શહેર છે કે જ્યાં સોવિયત સત્તાની જાહેરાત કરવામાં આવી હતી અને સોવિયત સરકારની રચના થઈ હતી. ડિસેમ્બર 1919થી જાન્યુઆરી 1934 સુધી ખારકીવ યુક્રેની સોવિયત સમાજવાદી પ્રજાસત્તાકની પહેલી રાજધાની રહ્યું હતું જે પછી રાજધાની ખારકીવથી ખસેડીને કીવમાં લઈ જવાઈ હતી. સરકારી બિલ્ડિંગ પર મિસાઈલ એટેક, 10 લોકોના મોત
યુક્રેનના બીજા મોટા શહેર ખરકીવમાં રશિયા ભારે તબાહી મચાવી રહ્યુ છે. આખા શહેરમાં ભયંકર હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે અને તેમાંય રશિયાએ ખરકીવની એક મોટી સરકારી બિલ્ડિંગને જે રીતે નિશાન બનાવી તે જોઈને આખી દુનિયા ધ્રુજી ઉઠી હતી. રશિયાએ ખરકીવ શહેરની એક મોટી સરકારી બિલ્ડિંગને મિસાઈલ એટેક કરીને ઉડાવી મૂકી હતી. આ ઘટનાાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે તથા 20થી વધારે ઘાયલ થયા છે. બિલ્ડીંગના કાટમાળમાંથી ઓછામાં ઓછા 10 લોકોને બચાવી લેવાયા છે. યુક્રેન પર રશિયાના હુમલાના છઠ્ઠા દિવસે રાજધાની કીવમાં સામાન્ય નાગરિકોના જીવન પર મોટો ખતરો ઊભો થયો છે. રશિયાની સેનાએ યુક્રેનના બીજા નંબરના સૌથી મોટા શહેર ખાર્કિવ, ચેર્નિહાઈવ અને કીવ પર સોમવારે બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. લગભગ 40 માઈલના કાફલામાં રશિયાની ટેંક અને અન્ય સૈન્ય વાહન કૂચ કરી રહ્યા છે. ડરેલા લોકો આમતેમ નાસભાગ મચાવી રહ્યા છે.
ખારકીવમાં રશિયન હુમલામાં ભારતીય વિદ્યાર્થીનું મોત
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે એક મોટી માઠી ખબર આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું કે ખુબ દુખની વાત છે કે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે યુક્રેનના ખરકીવમાં રશિયાના તોપમારામાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. મંત્રાલય મૃતક વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે.